For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુનાગઢના ઝૂમાં માદા ચિત્તાનું મોત

|
Google Oneindia Gujarati News

female cheetah
જુનાગઢ, 15 ઑક્ટોબરઃસિંગાપોરથી મંગાવવામાં આવેલા અને જુનાગઢ જિલ્લાના સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવેલા માદા ચિત્તાનું મોત નિપજ્યું છે. આ ચિત્તાનું મોત 13 ઓક્ટોબરે થયું હતું. પોસ્ટમોર્ટમમાં ચિત્તાનું મોત લિવર અને કિનડી નિષ્ફળ થવાના કારણે થયું હોવાનું ઝૂના ડિરેક્ટર વી જે રાણાએ કહ્યું છે.

આ પહેલાં એક મહિના પૂર્વે નર ચિત્તાનું પણ મોત નિપજ્યું હતું. આ ચિત્તાને પણ સિંગાપોરથી મંગાવવામાં આવ્યો હતો. રાણાએ કહ્યું છે કે, 2009માં બે ચિત્તાની જોડીને સિંગાપોરના ઝૂમાંથી મંગાવવામાં આવી હતી અને સક્કરબાગ ઝૂમાંથી ત્રણ સિંહને સિંગાપોર મોકલવામાં આવ્યાં હતા.

ભારતની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના આદેશ બાદ સિંગાપોરમાંથી આ આફ્રિકન ચિત્તાને મંગાવવામાં આવ્યા હતા. અત્રે એ વાત નોંધનીય છે કે જંગલમાં વિહરતા ચિત્તાનું આયુષ્ય 14 વર્ષની આસપાસ હોય છે, પરંતુ જ્યારે તેમને પ્રાણીસંગ્રાહલયમાં કેદ કરવામાં આવે છે ત્યારે ત્યાંના બંધ વાતાવરણના કારણે ચિત્તાના આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.

English summary
A female cheetah brought from Singapore died in Sakkarbaug zoo of Junagadh district. "The postmortem confirmed death due to failure of liver and kidney," Zoo Director V J Rana said, adding that the feline died on October 13.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X