સૌરાષ્ટ્ર માટે 10000 કરોડની 'સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના' : મોદી

કિસાન વિકાસ યાત્રાના સંમેલનમાં કરેલી જાહેરાતના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના 10,000થી વધારે ખેડૂતોને સીધો લાભ પહોંચશે. યોજનાના કારણે સૌરાષ્ટ્રમાં પાણીની કુલ આવકમાં 51 ટકાનો વધારો થવાની સંભાવના છે. પાણી પુરવઠો મળવાને કારણે પાણીની સમસ્યામાં મોટી રાહત મળવાની સંભાવના છે.
નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા જણાવ્યું કે 'સૌરાષ્ટ્રના મહેનતુ ખેડૂતોને પાણીની સમસ્યા ઘણા સમયથી નડી રહી છે. આ માટે રૂપિયા 10,000 કરોડની સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજનાની જાહેરાત કરું છે. યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના 115 બંધને નર્મદાના પાણીથી ભરવામાં આવશે.'
તેમણે જણાવ્યું કે લોકોમાં પાણી અંગેની જાગૃતિ લાવવા માટે માતા નર્મદા આરાધના પર્વ યોજવામાં આવશે. જેમાં ગામડાંમાં ડાયરા ગોઠવવામાં આવશે. આ કાર્યક્રમોમાં સિંચાઇ સંબંધિત માહિતી આપતી પુસ્તિકાઓ વહેંચવામાં આવશે સાથે આ બાબતની વિડિયો સીડી પણ દર્શાવવામાં આવશે.
હું આગામી 10 દિવસમાં તમામ 115 બંધોની નજીકમાં કાર્યક્રમો આપવા ઇચ્છું છું જેથી લોકોમાં માતા નર્મદા અંગે જાગૃતિ લાવી શકાય. સાથે હું લોકોને આગ્રહ કરું છું કે જ્યારે પણ ડેમાં પાણી સુકાય એ સાથે ડેમને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવે. આમ કરવાથી પાણી સંગ્રહની ક્ષમતા વધશે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
