પલાશના વૃક્ષ લુપ્ત થવાના આરે, રંગોનો રાજા કહેવાતો કેસૂડો થઈ રહ્યો છે નામશેષ
ભારત સહિત નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં રંગોનો રાજા કહેવાતો કેસૂડો એટલે કે પલાશનુ વૃક્ષ ધીમે ધીમે હવે લુપ્ત થવાના આરે છે.
ભારત સહિત નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં રંગોનો રાજા કહેવાતો કેસૂડો એટલે કે પલાશનુ વૃક્ષ ધીમે ધીમે હવે લુપ્ત થવાના આરે છે. કહેવાય છે કે લોકો પહેલા રંગોનો તહેવાર હોળી આવે એટલે કેટલાય દિવસો અગાઉથી ધૂળેટીમાં રંગ બનાવવા માટે કેસૂડાના વૃક્ષ પર આવતા કેસરી રંગના કેસૂડાના ફૂલમાંથી રંગ બનાવી ધૂળેટી રમવામાં આવતી હતી. રાજા મહારાજા પણ મોટી માત્રામાં આ કેસૂડાના ફુલોમાંથી જ રંગ બનાવીને હોળી ધૂળેટીના પર્વને ઉજવતા હતા.
પરંતુ સાંપ્રત અત્યાધુનિક યુગમાં કેમિકલ યુક્ત કલર આવી જવાના કારણે લોકો આજે કેસૂડાને ભૂલી રહ્યા છે. તો બીજી બાજુ સાતપુડાના પર્વતોની હારમાળા જ્યાં આવેલી છે તેવા ભરૂચ જિલ્લામાં ફોર લેન હાઈવે બનતા ઘણા બધા કેસૂડાના વૃક્ષો કાપી નાખ્યા હોવાની પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જેના કારણે પલાશના વૃક્ષ લુપ્ત થવાના આરે આવી ગયા છે.
Recommended Video
સરકાર દ્વારા નવા માર્ગ તો બનાવવામાં આવે છે પરંતુ જેટલા પ્રમાણમાં વૃક્ષો કપાય છે તેટલા નવા છોડ રોપીને તેને ઉછેરવામાં સરકાર નિષ્ફળ નિવડી હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જેની સીધી અસર પર્યાવરણ પર પડી રહી છે.
આ પણ વાંચોઃ એ ફ્લર્ટ તો નથી કરી રહી તમારી સાથે, આ સંકેત આપશે એનો જવાબ