ભાજપ અને જૂનાગઢ શોકમાં, પૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયાનું નિધન
અમદાવાદ, 28 જૂન : મળી રહેલા સમાચાર અનુસાર ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્વમાં કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા અને જૂનાગઢથી પૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયાનું સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. જેના કારણે જૂનાગઢમાં અને બીજેપી ગઢમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
નોંધનીય છે કે ભાવનાબેનની તબિયત લથડવાને કારણે બુધવારે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઇકાલે તેમના પર સફળ સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટરોએ તેમને ભયમુક્ત હોવાનું જાહેર કર્યું હતું. જોકે આજે સવારે તેમને હૃદય રોગનો હુમલો આવવાના કારણે તેમનું નિધન થયું હતું. આ સમચાર મળતા જ જૂનાગઢવાસીઓ અને બીજેપીમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ છે.
ગુજરાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનાબેનના અકાળે થયેલા નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું કે ''એ જાણીને ખૂબ જ દુ:ખ થયું કે ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચીખલીયા આપણી વચ્ચે નથી રહ્યા. અમે એક કુશળ કાર્યકર્તા ગુમાવ્યા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.''
ભાજપના ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રવક્તા વિજય રૂપાણી શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે ''તેઓ બીજેપીની એક મૂડી હતા. જૂનાગઢમાં ભાજપનો વ્યાપ વધારવામાં તેમનો મોટો ફાળો હતો. તેમના પરિવારને ખોટ સાલે તે સ્વાભાવિક છે પરંતુ બીજેપીને પણ તેમના જવાથી ભારે ખોટ પડી છે. તેમણે રાજ્ય ક્ષેત્રે અને કેન્દ્ર ક્ષેત્રે એક ઉમદા કાર્યકર તરીકે કામ કર્યું છે અને તેઓ બહેનોમાં ખૂબ જ ચહિતા હતા.''
ભાજપના પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ''ગુજરાતના ખૂબજ હિમ્મતવાન મહિલાનેતા ગુમાવ્યાનું દુ:ખ છે. તેમનું વ્યક્તિત્વ એકદમ કાર્યરત હતું. તેમની પાસેથી સમાજને, રાજ્યને ઘણી અપેક્ષાઓ હતી. અમારી પાર્ટીને પણ ભારે નુકસાન થયું છે. તેઓ જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારથી જ અમે પાડોશી તરીકે જ, એક જ પરિવાર તરીકે વર્તતા હતા, કારણ કે હું અમરેલીનો છું. તેમનો ધારદાર સ્વભાવ હતો. પરંતુ તેઓ વિરોધ કરવા કે પ્રોટેસ્ટ કરવા આવ્યા હોય તો પણ તેમના ચહેરા પર સ્મિત તો હોય જ. બધી જ કાર્યકર બહેનો થાકીને બેસી જાય પરંતુ ભાવના બહેન ઊભે પગે જ હોય. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પુ છું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે.''
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનાબેન ચીખલીયા 1992માં પહેલીવાર જૂનાગઢના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા અને બાદમાં તેઓ સતત 4 ટર્મ સુધી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ ઉપરાંત ભાવનાબેન કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ભાવનાબેનનો જૂનાગઢમાં ભારે દબદબો હતો અને મહિલાઓના તેઓ પ્રિય હતા.

પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેનનું નિધન
તસવીરમાં ભાવનાબેન ચીખલીયા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથે નજરે પડે છે.
|
નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ગુજરાત
''એ જાણીને ખૂબ જ દુ:ખ થયું કે ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચીખલીયા આપણી વચ્ચે નથી રહ્યા. અમે એક કુશળ કાર્યકર્તા ગુમાવ્યા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.''

વિજય રૂપાણી, પ્રદેશ પ્રવક્તા બીજેપી
''તેઓ બીજેપીની એક મૂડી હતા. જૂનાગઢમાં ભાજપનો વ્યાપ વધારવામાં તેમનો મોટો ફાળો હતો. તેમના પરિવારને ખોટ સાલે તે સ્વાભાવિક છે પરંતુ બીજેપીને પણ તેમના જવાથી ભારે ખોટ પડી છે. તેમણે રાજ્ય ક્ષેત્રે અને કેન્દ્ર ક્ષેત્રે એક ઉમદા કાર્યકર તરીકે કામ કર્યું છે અને તેઓ બહેનોમાં ખૂબ જ ચહિતા હતા.''

પુરુષોત્તમ રુપાલા, પ્રદેશ પ્રમુખ ભાજપ
''ગુજરાતના ખૂબજ હિમ્મતવાન મહિલાનેતા ગુમાવ્યાનું દુ:ખ છે. તેમનું વ્યક્તિત્વ એકદમ કાર્યરત હતું. તેમની પાસેથી સમાજને, રાજ્યને ઘણી અપેક્ષાઓ હતી. અમારી પાર્ટીને પણ ભારે નુકસાન થયું છે. તેઓ જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારથી જ અમે પાડોશી તરીકે જ, એક જ પરિવાર તરીકે વર્તતા હતા, કારણ કે હું અમરેલીનો છું. તેમનો ધારદાર સ્વભાવ હતો. પરંતુ તેઓ વિરોધ કરવા કે પ્રોટેસ્ટ કરવા આવ્યા હોય તો પણ તેમના ચહેરા પર સ્મિત તો હોય જ. બધી જ કાર્યકર બહેનો થાકીને બેસી જાય પરંતુ ભાવના બહેન ઊભે પગે જ હોય. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પુ છું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે.''
-
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
વિધાનસભા ચૂંટણી પછી શક્તિશાળી અને નિર્ભય આસામ ઉભરી આવશેઃ ગૌરવ ગોગોઈ -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર









Click it and Unblock the Notifications
