એલિયન તારાઓની મદદથી સંદેશાવ્યવહાર કરે છે, વૈજ્ઞાનિકોનો દાવો
એલિયન્સના અસ્તિત્વ વિશે વૈજ્ઞાનિકોના પણ જુદા જુદા મંતવ્યો છે. તાજેતરમાં એક વૈજ્ઞનિકે દાવો કર્યો હતો કે એલિયન્સ તારાઓ દ્વારા એકબીજાને સંદેશો મોકલે છે.
આપણે બાળપણથી જ અન્ય વિશ્વના પ્રાણીઓ એટલે કે એલિયન્સ તરીકે ઓળખાતા જીવો વિશે સાંભળતા આવ્યા છીએ. તે મનુષ્યો માટે કોઈ ભૂતથી ઓછુ નથી, જે લોકોએ જોયા હોય તે વિવિધ દાવાઓ કરે છે, જે લોકોએ જોયા નથી તે લોકો રમુજી વાર્તા માત્ર માને છે. એલિયન્સના અસ્તિત્વ વિશે વૈજ્ઞાનિકોના પણ જુદા જુદા મંતવ્યો છે. તાજેતરમાં એક વૈજ્ઞનિકે દાવો કર્યો હતો કે એલિયન્સ તારાઓ દ્વારા એકબીજાને સંદેશો મોકલે છે.

વૈજ્ઞાનિકોના વિચિત્ર દાવા
આપણે ભારતીયોને એલિયન્સમાં થોડો વધારે રસ છે. બોલિવૂડમાં અન્ય દુનિયાના જીવો પર ઘણી ફિલ્મો બની છે, જેમાં સૌથી પ્રખ્યાત રિતિક રોશનની 'કોઈ મિલ ગયા' છે. રિતિક રોશનના પિતા રાકેશ રોશન જે ટેકનિકનો ઉપયોગ જાદુને બોલાવવા માટે કરે છે એવો જ કંઈક દાવો એક વૈજ્ઞાનિકે કર્યો છે. ઇમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ એક સંશોધન અહેવાલ શેર કર્યો છે, જે ચર્ચામાં છે.

તારાઓની મદદથી વાતચીત કરે છે
Perhaps they are everywhere? નામના આ રિસર્ચ પેપરમાં કરવામાં આવેલા દાવાઓ એલિયન્સ વિશે અત્યાર સુધી કરવામાં આવેલા દાવાઓથી અલગ છે. સંશોધકો દાવો કરે છે કે આકાશમાં ચમકતા તારાઓનો ઉપયોગ એલિયન્સ એકબીજા સાથે વાતચીત કરવા માટે કરે છે. વૈજ્ઞાનિકે આ પેપરમાં લખ્યું છે કે એલિયન્સની ટેકનોલોજી આપણા કરતા ઘણી અલગ અને સારી છે.

એલિયન્સ આપણા કરતા ઘણા આગળ છે
તેમણે કહ્યું કે, એલિયન્સનું ભૌતિકશાસ્ત્ર આપણાથી આગળ છે, તેઓ ક્વોન્ટમ ઈનટેંગલમેંટ જેવી મુશ્કેલ પ્રક્રિયા પર કામ કરે છે. ક્વોન્ટમ ઈનટેંગલમેંટ પ્રક્રિયામાં, ઘણા પાર્ટીકલ એકબીજા સાથે ચોક્કસ રીતે જોડાયેલા હોય છે. આવી સ્થિતિમાં, જો કોઈ ક્રિયા એક ભાગ પર થાય છે, તો તે બીજાને અસર કરે છે. વૈજ્ઞાનિકો માને છે કે જો એલિયન્સ અન્ય ગ્રહ પર અસ્તિત્વ ધરાવે છે, તો તેઓ તેમના ગુપ્ત સંદેશને છુપાવવા માટે આપણા કરતા વધુ સારી તકનીકનો ઉપયોગ કરે છે.

બીજા ગ્રહ પર જીવનના ઘણા રહસ્યો ખુલી શકે છે
મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધી વૈજ્ઞાનિકોને ક્વોન્ટમ ઈનટેંગલમેંટ સિદ્ધાંત પર સંશોધન માટે 450 મિલિયન યુએસ ડોલરનું રોકાણ મળ્યુ છે. એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયાનો અભ્યાસ બીજા ગ્રહ પર જીવન વિશેના મોટા રહસ્યો ઉજાગર કરી શકે છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકો આ અભ્યાસ દ્વારા મનુષ્યો માટે ટેકનોલોજી વિકસાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

આ ટેકનોલોજી મનુષ્યો માટે ક્રાંતિકારી સાબિત થશે
વૈજ્ઞાનિકોના મતે, જો ક્વોન્ટમ ઈનટેંગલમેંટ ટેકનોલોજી વિકસાવવામાં આવે તો તે સંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. હાલમાં, અન્ય ગ્રહ પર એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ અહેવાલ નથી. જો કે, સમય સમય પર વિશ્વના વિવિધ દેશોમાં UFO જોવાના દાવાઓ થયા છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
