મોટો ખુલાસો: મુઝફ્ફરનગર રમખાણોનો બદલો હતો પટણા બ્લાસ્ટ!
પટણા, 28 ઓક્ટોબર: પટણામાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રોની માનીએ તો તપાસમાં એ બાબત સામે આવી છે કે મુઝફ્ફરનગર રમખાણોનો બદલો લેવા માટે આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે હજી આ વાતની ખરાઇ કરી નથી.
બિહારની રાજધાની પટણામાં ભારતીય જનતા પાર્ટીની હુંકાર રેલી પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને છ થઇ ગઇ છે. આ વિસ્ફોટોમાં ઇન્ડિયન મુઝાહિદ્દીનનો હાથ હોવાનું કહેવાઇ રહ્યું છે.
પોલીસ અનુસાર, ઘાયલોમાંથી એકનું મોત મોડી રાત્રે થયું હતું, જેનાથી મરનારાઓની સંખ્યા છ થઇ ગઇ છે. પોલીસના વડા અધિકારીઓ અનુસાર આ વિસ્ફોટ પાછળ આઇએમનો હાથ છે અને તેના માટેની પૂર્વતૈયારીઓ રાંચીમાં કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ મામલે અત્યાર સુધી ચાર શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ ઘટનામાં છના મોત અને 83 લોકો ઘાયલ થયા છે.
આ આખા મામલાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ પટણા પહોંચી ગઇ છે. આ ઘટના બાદ પટણા સહિત આખા રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે બિહાર સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોની મફત સારવારની જાહેરાત કરી છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
