For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુલાઇથી રેલવે ટિકિટ કેન્સલ કરાવવાનું મોંધું બનશે

|
Google Oneindia Gujarati News

indian-railway
નવી દિલ્હી, 26 જૂન : હવે આવતા મહિનાથી રેલવે ટિકિટ બૂકિંગ કરાવતા પહેલા બે વાર વિચાર કરજો. અને ટિકિટ કેન્સલ કરાવતા પહેલા ચેતજો. કારણ કે હવે જુલાઇથી રેલવે ટિકિટ કેન્સલેશન મોંધું બનવાનું છે.

રેલવેએ ભાડું રિફન્ડ કરાવવાનાં પોતાનાં નિયમોમાં 15 વર્ષ બાદ ફેરફાર કર્યો છે. આ કારણે મુસાફરો પર વધુ બોજ આવી ગયો છે. રિઝર્વ ટિકિટ માટે અત્યાર સુધી 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવતા મુસાફરોને કેન્સલેશન ચાર્જ કાપીને રૂપિયા પાછા મળતા હતા જે હવે 48 કલાક કરી દેવાયા છે.

અનરિઝર્વ એટલે કે જનરલ ટિકિટનું આખું રિફન્ડ (કેન્સલેશન ચાર્જ રૂપિયા 20 કાપીને) ટિકિટ આપ્યાનાં ત્રણ કલાકની અંદર કોઈ પણ કાઉન્ટર પરથી મેળવી શકાય છે. પહેલા તે સ્ટેશન માસ્તરની પાસે જ રિફન્ડ થઈ જતા હતા. જો જનરલ ટિકિટ વહેલી ખરીદાઈ છે તો ટ્રેન પ્રસ્થાન કર્યાનાં 24 કલાક પહેલા રદ કરાવવા પર કેન્સલેશન ચાર્જ કાપીને બાકીનું ભાડુ રિફન્ડનાં રૂપમાં મળશે. આ નિયમ પહેલી જુલાઈ, 2013થી અમલી બનશે. રેલવે એ આ નિયમ વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરોની ટિકિટ જલ્દી કન્ફર્મ થાય તે માટે અમલી બનાવ્યો છે.

English summary
Cancellation of Railway tickets will be more expensive from July.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X