શાસ્ત્રીજીના પુત્રએ પોતાની જ પાર્ટી કોંગ્રેસની સરકાર પર કર્યા પ્રહારો

તેમણે જણાવ્યું કે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ જ્યારે આંદોલન કર્યું ત્યારે લોકપાલ બિલ લાવવામાં આવ્યો. એક સવાલ સવાલના જવાબમાં તેમણે મોઘવારી પર નિયંત્રણ નહીં મેળવી શકવાની વાત પણ કરી. તેમનું કહેવું છે કે મોઘવારીના કારણે સામાન્ય વ્યક્તિનું જીવન મુશ્કેલ બની ગયું છે અને કેન્દ્ર સરકાર આ મોંઘવારી પર લગામ લગાવવામાં પણ નિષ્ફળ રહી છે.
શાસ્ત્રીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં એકતાની જરૂરીયાત જણાવતા કહ્યું કે રાજ્યની ભાજપ સરકારની હાલત ઠીક નથી અને જો કોંગ્રેસના નેતાઓ એક થઇ ગયા તો કોંગ્રેસને સરકાર બનાવવામાં કોઇ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. તેમણે જણાવ્યું કે આજે જરૂરીયાત છે કે એ સંદેશ નીચે સુધી જાય કે કોંગ્રેસી નેતા એક થઇ ગયા છે.












Click it and Unblock the Notifications
