Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આર્થિક તેજી માટે કપરા પગલા ભરવા જરૂરીઃ પીએમ

manmohan-singh
નવીદિલ્હી, 15 ડિસેમ્બરઃ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શનિવારે કહ્યું કે સરકારે તાજેતરમાં આર્થિક મોર્ચા પર જે પગલા ભર્યા છે, તે માત્ર અર્થવ્યવસ્થામાં જીવ પુરવાના પ્રયત્નોની શરૂઆત માત્ર છે. ફેડરશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાર્ષીક સામાન્ય બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પગલું અર્થવ્યવસ્થાને ફરીથી 8-9 ટકા વિકાસદરની દિશામાં લઇ જવામાં મદદરૂપ થશે.

મનમોહનસિંહે કહ્યં કે, અમારા કેટલાક પગલા રાજકિય રીતે ઘણા કપરા હતા અને વિરોધીઓએ અમારી સામે અવરોધ ઉભા કરવાના પ્રયાસો કર્યા. તેમણે કહ્યું કે, આ પગલાનો વિરોધ કરનારાઓને કાંતો વિશ્વની વાસ્તવિકતાની ખબર નથી કે પછી જૂની વિચારધારાના કારણે તેમની વિચારસરણી અવરોધી છે.

સિંહે કહ્યું કે, અમારી સરકારે નકારાત્મક આશાઓના ચક્રને તોડ્યો અને રોકાણમાં ઝડપ લાવી. જે ગતિથી હાલમાં વરસોની ગરબી ઓછી થઇ છે તે સરાહનીય છે. આપણી સામે પડકારો યથાવત છે, તેમ છતાં આપણે એ માનવું છે કે ગરીબી જેવી ગતિથી ઘટી છે, તે છેલ્લા 200 વર્ષમાં થયું નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X