...તો પ્રતિષ્ઠિત રાજકીય પાર્ટીઓ ઇતિહાસ બની જશેઃ જયરામ રમેશ
નવી દિલ્હી, 6 જાન્યુઆરીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશનું કહેવું છેકે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો ઉદય જનતાનો અવાજ છે. જો મોટી રાષ્ટ્રીય પાર્ટીઓએ જનતાનો આવાજ સાંભળ્યો નહીં તો તે ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે. તેમણે ‘આપ'ની સફળતાને ‘જનતાનો અવાજ' ગણાવી. જયરામ રમેશ અનુસાર આ પાર્ટીએ રાજકીય પરિદ્રશ્યને બદલીને રાખી દીધુ છે અને પ્રતિષ્ઠિત પાર્ટીઓને ચેતાવણી આપી દીધી છે.

જયરામે નરેન્દ્ર મોદી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નિરાધાર ઠેરવ્યા છે અને કહ્યું છે કે અમારા પર આરોપ લગાવવામાં આવે છે કે અમે ગુજરાત સાથે ભેદભાવ કરી રહ્યાં છીએ અને વિકાસ માટે ફંડ નથી આપતા, પરંતુ સત્ય એ છે કે જ્યારે પણ અમારી પાસે ફંડ માગવામાં આવે છે, તો અમે આવેદનોનું અધ્યયન કરીએ છીએ, ત્યારબાદ ધનની વહેંચણી કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
