પ્રજાપતિ એન્કાઉન્ટર મુદ્દે મોદી રાજીનામું આપે : કોંગ્રેસ
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર : કોંગ્રેસ પાર્ટીએ ફરી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના સપાટામાં લીધી છે. આ વખતે તેણે તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં ચાલી રહેલી તપાસમાં શાસક ગુજરાત સરકારે અવરોધો ઊભા કર્યા હોવાના આરોપોને પગલે સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની અને તપાસ પૂરી થાય ત્યાં સુધી મોદી તેમના હોદ્દા પરથી રાજીનામું આપે એવી માગણી કરી છે.
પ્રજાપતિ રાજસ્થાનના ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખનો સાગરિત હતો. સોહરાબુદ્દીનનું પણ ગુજરાત પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. ભાજપના સંસદસભ્યો પ્રકાશ જાવડેકર અને ભૂપેન્દ્ર સિંહ યાદવ સામે સુપ્રીમ કોર્ટમાં નોંધવામાં આવેલી જનહિતની અરજીમાં એવો આરોપ મૂકાયો છે કે આ બંને નેતાએ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અમિત શાહ જેમાં મુખ્ય આરોપી છે તે પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની તપાસમાં અવરોધો પેદા કરવાનો પ્રયાસ કર્યો છે.

પીટિશન એક પત્રકારે પોતે હાથ ધરેલા એક સ્ટિંગ ઓપરેશનના આધારે નોંધાવી છે. પત્રકારનો આરોપ છે કે સંસદસભ્યો જાવડેકર અને યાદવે અદાલતી કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ફરિયાદને ફોસલાવી-ધમકાવીને તેમ કર્યું છે. બંનેનો એ પાછળનો હેતુ અમિત શાહને બચાવવાનો છે.
નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા કોંગ્રેસના મીડિયા સેલના વડા અજય માકેને કહ્યું કે નકલી એન્કાઉન્ટર કેસની તપાસ પૂરી થાય ત્યાં સુધી મોદીએ હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ. કોંગ્રેસે જોકે પત્રકારના સ્ટિંગ ઓપરેશનની સીડીની સચ્ચાઈની ચકાસણી કરવા કહ્યું નથી, પણ આ મામલે સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરી છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
