થાણેમાં 7 માળની બિલ્ડિંગ ઢળી પડી, 28ના મોત
મુંબઇ, 5 એપ્રિલ: થાણેમાં ગુરૂવારે સાંજે સાત માળની બિલ્ડિંગ ઢળી પડતાં કાટમાળ નીચે દબાઇ જતાં 28 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 65થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાની આશંકા છે. રાહત અને બચાવ કામ શરૂ છે. બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાનું શરૂ કરી દેવામાં આવી રહ્યું છે. પોલીસે બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર વિરૂદ્ધ બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કર્યો છેમ પરં આરોપી બિલ્ડર ફરાર છે.
તો બીજી તરફ શિલ ફાટ વિસ્તારમાં 7 માળની બિલ્ડિંગ જોત જોતામાં જમીનદોસ્ત થઇ ગઇ હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ગુરૂવારે સાંજે 7 માળની બિલ્ડિંગ ગંજીફાન પત્તાની જેમ ઢળી પડી હતી અને 50થી વધુ લોકો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. લોકોનું કહેવું છે કે આ બિલ્ડિંગ ચાર મહિના પહેલાં બનાવવામાં આવી અને ગેરકાયદેસર છે. અકસ્માતના સમાચાર મળતાંની સાથે જ ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમોના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત કામ શરૂ કરી દિધું હતું.

પોલીસ કમિશ્નર થાણે કે.પી રઘુવંશીના જણાવ્યા અનુસાર રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘણા લોકો ફસાયેલા છે. એસઆરપીએફની ટીમ, થાણે પોલીસ ટીમ, મહાનગર પાલિકાની ટીમ અને મુંબઇ મહાનગર પાલિકાની ટીમ રાહત અને બચાવકાર્યમાં જોડાઇ ગયા છે.
તો બીજી તરફ આરોપ લગાવવામાં આવે છે બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. નિર્માણકાર્યમાં હલકી કક્ષાનો સામાન ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે બિલ્ડિંગ શરૂઆતથી નબળી હતી. આરોપ છે કે બિલ્ડિંગનું નિર્માણ ઉતાવળમાં કરવામાં આવ્યું હતું. લોકોનું કહેવું છે કે લગભગ 35 દિવસોમાં 7 માળની બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. 7 માળની બિલ્ડિંગના ચોથા માળ સુધી લોકો રહેતા હતા.
જ્યારે બિલ્ડિંગ અકસ્માતના મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે. થાણે મહાનગર પાલિકા પર શિવસેનાનો કબજો હતો જ્યારે રાજ્યમાં કોંગ્રેસ એનસીપીની સરકાર છે. હવે થાણેના પાલક મંત્રી ગણેશ નાઇકનું કહેવું છે કે આ અકસ્માત માટે નગર નિગમ જવાબદાર છે, જેને ગેરકાયદેસર બિલ્ડિંગ પર સમયસર કાર્યવાહી ન કરી. આસપાસના લોકોનું કહેવું છે કે આ બિલ્ડિંગમાં લગભગ 50 પરિવાર રહેતા હતા. સાંજના સમય હોવાથી મોટાભાગે લોકો પોતાના ઘરમાં હતા. જેથી ઘાયલોમાં મહિલાઓ અને બાળકોની સંખ્ય વધારે છે. પોલીસે બિલ્ડર જમાલ ખાન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે તે હાલ ફરાર છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
