માઓવાદીઓ વિરુધ્ધ ઓપરેશન : 1000 સૈનિકોએ શરૂ કર્યું જંગલ ખૂંદવાનું

રાજ્યના પોલીસ વડા રામનિવાસે કહ્યં છે કે જંગલોમાં અનેક નક્સલવાદીઓ સંતાયા હોવાની અમને બાતમી મળી છે. જે લોકોએ ગયા શનિવારે કોંગ્રેસના કાફલા પર હુમલો કર્યો હતો તે નક્સલવાદી નેતાઓ વિશે અમને બાતમી મળી છે તેથી એમને પકડવા માટે અમે ત્વરિત પગલું ભર્યું છે. પવન કિન્દ્રો નામનો એક પોલીસ જવાન લાપતા થયો છે અને જંગલમાં તેને શોધવાની કામગીરી પણ ચાલુ છે.
ગયા શનિવારે બસ્તર જિલ્લામાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓના એક વિશાળ કાફલા પર જીવલેણ શસ્ત્રો સાથે સજ્જ થયેલા 500 જેટલા નક્સલીઓએ હુમલો કર્યો હતો જેમાં રાજ્યના કોંગ્રેસ વડા નંદકુમાર પટેલ, સિનિયર નેતા મહેન્દ્ર કર્મા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય ઉદય મુદલીયાર સહિત 27 વ્યક્તિઓ મૃત્યુ પામી છે અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી.સી. શુક્લ સહિત બીજાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે.












Click it and Unblock the Notifications
