Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુનંદાનું નાક દબાવીને તેના મોઢામાં રશિયન ઝેર નાખવામાં આવ્યું હતું: સ્વામી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની રહસ્યમય પરિસ્થિતઓમાં થયેલા મોતના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુનંદા પુષ્કરના મૃત્યુને હત્યા ગણાવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું છે કે 'સુનંદાના પેટથી લઇને ઉપરના ભાગ સુધી ગંભીર ઇજાના નિશાન હતા. તેમનું નાક દબાવીને મોઢામાં રશિયન ઝેર નાખવામાં આવ્યું. તેમણે એ પણ કહ્યું કે તેઓ આના પુરાવા પણ આપી શકે છે. સ્વામીએ એ પણ જણાવ્યું કે સુનંદા પુષ્કરના મૃત ફોટોગ્રાફ પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે.'

sunanda
જ્યારે સ્વામીના આ આરોપ બાદ શશિ થરૂર ભડકી ગયા છે. તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને જણાવ્યું કે સાર્વજનિક રીતે જે વાતો કરવામાં આવી રહી હતી, હું તેનાથી ખુશ ન્હોતો. ચલો જે થઇ ગયું તે થઇ ગયું. ભાજપાના લોકો મારા દર્દને નહીં સમજી શકે અને હા, સોશિયલ મીડિયાને મારી સ્થિતિને જજ કરવાનો કોઇ અધિકાર નથી. થરૂરનું કહેવું છે કે સુનંદાના મોત પાછળ કોઇ ષડયંત્ર નથી. થરૂરનો આરોપ છે કે કેટલાંક લોકો તેમના વ્યક્તિગત જીવનમાંથી રાજનૈતિક લાભ ઉઠાવવાની કોશીશ કરી રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીને નિશાના પર લેતા થરૂરે જણાવ્યું કે સુબ્રમણ્યમ ખોટીરીતે સુનંદાના મૃત્યુંને હત્યા ગણાવી રાજકીય લાભ મેળવવાની કોશિશ કરી રહ્યા છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>From belly upwards Sunanda had horrific injuries. Her nostrils were squeezed to open her mouth to administer Russian poison.</p>— Subramanian Swamy (@Swamy39) <a href="https://twitter.com/Swamy39/statuses/437810718167937024">February 24, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

આની સાથે જ થરૂરે જણાવ્યું સુબ્રમણ્યમ સુનંદાની હત્યા થવાના કોઇ પુરાવા રજૂ કરે. રાજનીતિમાં સુબ્રમણ્યમને કોઇ ગંભીરતાથી નથી લેતું. થરૂરે એમ પણ જણાવ્યું કે દિલ્હી પોલીસ દ્વારા સુનંદા મામલાની તપાસની ગતિથી તેઓ ખુશ નથી.

અત્રે નોંધનીય છે કે સુનંદા પુષ્કરનું મોત 16 જાન્યુઆરીના રોજ દિલ્હીના એક ફાઇવ સ્ટાર હોટલમાં થઇ હતી. 21 જાન્યુઆરીના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુનંદાનું મોતને 'સડેન અને અનનેચરલ ડેથ' ગણાવવામાં આવ્યું. જ્યારે મોતની પાછળ અસલી કારણ ઝેર લેવાના કારણે થયું હોય તેવું મનાઇ રહ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X