બસ એકપળ માટે નરેન્દ્ર મોદીને મળવા માંગે છે આ મહિલા
ઇંફાલ, 29 મે: સશસ્ત્ર બળ વિશેષાધિકાર અધિનિયમ રદ કરવાની માંગને લઇને ગત 13 વર્ષોથી અનિશ્વિત કાલીન ભૂખ હડતાલ કરી રહેલ માનવાધિકાર કાર્યકર્તા ઇરોમ શર્મિલા રાજ્યની સ્થિતિ વિશેમાં અવગત કરવા અને આ અધિનિયમને રદ કરવા માટે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગે છે.
ગઇકાલે દિલ્હી રવાના થતાં પહેલાં અહીં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં શર્મિલએ કહ્યું હું વડાપ્રધાનમંત્રીને મળવાનો પ્રયત્ન કરીશ અને 1980માં રાજ્યમાં આ અધિનિયમને લાગૂ થયા બાદથી લોકો સમક્ષ આવી રહેલી સમસ્યાઓને ઉજાગર કરીશ. મણિપુરની 42 વર્ષીય લોહ મહિલાએ કહ્યું કે તે વડાપ્રધાનમંત્રી સાથે આ અધિનિયમને રદ કરવાનો પણ અનુરોધ કરશે.
જંતર-મંતર પર 2006માં એક ભૂખ હડતાળ કરવાના મુદ્દે પટિયાલા હાઉસ કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા સમંસ જાહેર કર્યા બાદ શર્મિલા રાષ્ટ્રીય રાજધાની રવાના થઇ. નવેમ્બર 2000માં ઇંફાલ હવાઇ મથકની નજીક અસમ રાઇફલના જવાનો દ્વારા દસ નાગરિકોની કથિત હત્યા બાદ, અધિનિયમને નાબૂદ કરવાની માંગને લઇને શર્મિલાએ અનિશ્વિત કાલીન ભૂખ હડતાળ શરૂ કરી હતી.

પોરોમપટના સરકારી હોસ્પિટલમાં રાજ્ય સરકાર નાકના માધ્યમથી શર્મિલાને ખાવાનું ખવડાવવામાં આવી રહ્યું છે અને આ હોસ્પિટલને તેમના માટે જેલમાં ફેરવી દેવામાં આવી છે. તેમની આ પીડા જ તેમનો સંઘર્ષ છે, જે તેમણે દેશહિત માં કામ કરવા તથા પોતાના રસ્તા પર અગ્રેસર રહેવામાં મદદ કરે છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત







Click it and Unblock the Notifications
