બન્ને ભાઇઓ થશે એક? ઉદ્ધવનો આડકતરો ઇશારો
નોંઘનીય છે કે પાર્ટીના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરેને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું શિવસેના અને એમએનએસ એક સાથે આવી શકે છે? તો ઉદ્ધવે જવાબ આપતા કહ્યું કે તાલી એક હાથે નથી વાગતી. સેના અને એમએનએસ એક સાથે આવશે કે નહીં તેનો જવાબ હું એકલો કેવી રીતે આપી શકું? આ પ્રશ્ન અમને બન્નેને સાથે બેસાડીને પૂછો, જો આ પ્રશ્ન એક સાથે પૂછશો તો સારું રહેશે, કારણ કે જવાબ એક તરફથી નહીં પરંતુ બન્ને તરફથી આવવો જોઇએ.
જ્યારે ઉદ્ધવને પૂછવામાં આવ્યું કે રાજ ઠાકરે તમારી પાસે પ્રસ્તાવ લઇને આવે તો? જવાબમાં કહ્યું કે, કોઇ શિવસેનામાં હૃદયપૂર્વક આવવા માટે તૈયાર છે તો હું તેનું સ્વાગત કરીશ. ઉદ્ધવના આ પ્રકારના ઇન્ટરવ્યું પરથી એ વાતનું અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે રાજ ઠાકરેને ફરીથી શિવેસના સાથે જોડવા માટે ઉદ્ધવ ઠાકરેનો આ આડકતરો ઇશારો છે.
આ તકે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે સામનામાં છપાયેલા ઇન્ટરવ્યું અંગે કહ્યું છે કે, આ ઇન્ટરવ્યુંનો બીજો ભાગ આવતા અંકમાં છપાશે. ઉદ્ધવે કહ્યું છે કે બન્ને વચ્ચે કોઇ મતભેદ નથી. જો બન્ને સાથે હશે તો રાજકારણમાં નવો વળાંક આવશે.