બાંગ્લાદેશી હિન્દુઓએ કરી સુરક્ષાની માંગ

bangladesh
ઢાકા, 1 એપ્રિલ: બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ(1971) દરમિયાન યુદ્ધ અપરાધમાં સામેલ કટ્ટરપંથી જમાત એ ઇસ્લામીના નેતાઓ સામે થઇ રહેલી સુનવણીના વિરોધમાં આખા દેશમાં ભડકેલી હિંસા વચ્ચે માનવાધિકાર પંચે હાલમાં થયેલા હુમલાથી હિન્દુઓની રક્ષા કરવા માટે પૂરતા પગલા નહીં ભરવા માટે સરકારની ટીકા કરી છે. બીજી બાજું દેશના લઘુમતી સમુદાય હિન્દુઓએ પોતાના સુરક્ષાની માંગ કરી છે.

બાંગ્લાદેશના રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષ મિજાનૂર રહેમાને ગઇકાલે એક ગોષ્ઠીમાં જણાવ્યું કે સરકાર જવાબ આપે કે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતિ સમુદાયના લોકો અસુરક્ષાની ભાવના સાથે કેમ જીવી રહ્યા છે.' વર્ષ 1971ના યુદ્ધ દરમિયાન 'માનવતા વિરૂદ્ધ ક્રાઇમ'ના મામલામાં ઇસ્લામી નેતાઓને સજા સંભળાવ્યા બાદ આખા દેશમાં ભડકેલી હિંસાની વચ્ચે રહેમાને આ વાત કહી છે.

હિંસક ઘટનાઓ વચ્ચે જમાત એ ઇસ્લામીના કાર્યકર્તાઓએ ઘણા હિન્દુ મંદિરો અને સેંકડો ઘરોમાં લૂંટપાટ મચાવી અને તેને આગ લગાવી દીધી. રહેમાને જણાવ્યું કે લોકોનું એક ટોળું જનતાની વચ્ચે ભ્રમ અને ભયની સ્થિતિ પેદા કરવા ધર્મનો નકારાત્મક ઉપયોગ કરી રહ્યું છે પરંતુ 'સરકાર અને રાજ્યને બધા ધર્મના લોકોની રક્ષા કરવાની જવાબદારી લેવી પડશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X