For Quick Alerts
For Daily Alerts
બાંગ્લાદેશી હિન્દુઓએ કરી સુરક્ષાની માંગ
બાંગ્લાદેશના રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષ મિજાનૂર રહેમાને ગઇકાલે એક ગોષ્ઠીમાં જણાવ્યું કે સરકાર જવાબ આપે કે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતિ સમુદાયના લોકો અસુરક્ષાની ભાવના સાથે કેમ જીવી રહ્યા છે.' વર્ષ 1971ના યુદ્ધ દરમિયાન 'માનવતા વિરૂદ્ધ ક્રાઇમ'ના મામલામાં ઇસ્લામી નેતાઓને સજા સંભળાવ્યા બાદ આખા દેશમાં ભડકેલી હિંસાની વચ્ચે રહેમાને આ વાત કહી છે.
હિંસક ઘટનાઓ વચ્ચે જમાત એ ઇસ્લામીના કાર્યકર્તાઓએ ઘણા હિન્દુ મંદિરો અને સેંકડો ઘરોમાં લૂંટપાટ મચાવી અને તેને આગ લગાવી દીધી. રહેમાને જણાવ્યું કે લોકોનું એક ટોળું જનતાની વચ્ચે ભ્રમ અને ભયની સ્થિતિ પેદા કરવા ધર્મનો નકારાત્મક ઉપયોગ કરી રહ્યું છે પરંતુ 'સરકાર અને રાજ્યને બધા ધર્મના લોકોની રક્ષા કરવાની જવાબદારી લેવી પડશે.'
Comments
English summary
Bangladeshi minority Hindus asked for protection.
Story first published: Monday, April 1, 2013, 14:51 [IST]