મલેશિયાઇ સરકારનો દાવો, MH370 વિમાનનું થયું છે અપહરણ
કુઆલાલંપુર, 15 માર્ચ: ગુમ મલેશિયાઇ એરલાયન્સનું વિમાન એમએચ 370નું અપહરણ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીએ મલેશિયાઇ સરકારના હવાલેથી આ સમાચાર આપ્યા છે. અપહરણકર્તાને વિમાન ઉડાડવાનો અનુભવ હતો. અપહરણ એકથી વધુએ લોકોએ કર્યું છે. અપહરણકર્તાએ કમ્યુનિકેશ ડિવાઇસ બંધ કરી દિધા હતા.
ગુમ મલેશિયાઇ વિમાન શોધ કરી રહેલા તપાસકર્તાઓ નિષ્કર્ષ કાઢ્યું છે કે વિમાન ઉડાવવાનો સારો અનુભવ ધરાવનાર એક અથવા તેથી લોકોએ વિમાનનું અપહરણ કરી લીધું છે, તેના કોમ્યુનિકેશન યંત્ર બંધ કરવામાં આવ્યા છે અને તેને નક્કી કરેલા માર્ગ પરથી હટાવી દેવામાં આવ્યું છે. તપાસમાં સામેલ એક મલેશિયાઇ સરકારી અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે આજે આ જાણકારી આપવામાં આવી કારણ કે તે મીડિયાને માહિતી માટે અધિકૃત નથી.
તેમણે જણાવ્યું હતું કે અપહરણ પાછળનો હેતું અને અપહરણકર્તાઓની કોઇપણ પ્રકારની માંગ અંગે જાણવા મળ્યું નથી. એ પણ સ્પષ્ટ નથી કે વિમાનને ક્યાં લઇ જવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અપહરણ હવે એક અનુમાન નથી. આ નિષ્કર્ષ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનના સંચાર યંત્રોને જાણીજોઇને બંધ કરવા અને ઉડાણના માર્ગના આંકડા તથા રડાર પરથી તેને ગાયબ કરવા માટે તેના માર્ગને બદલવા સંબંધી સંકેતોથી આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે. બોઇંગ 777નું બીજિંગથી કુઆલાલંપુર માટે આઠ માર્ચના રોજ ઉડાણ ભરીને માત્ર એક કલાક બાદ જમીનથી સંપર્ક તૂટી ગયો હતો.

બીજી તરફ ગત શુક્રવારે રહસ્યમયી રીતે ગાયબ મલેશિયન એરલાઇન્સના એક વિમાનની શોધખોળ માટે ચલાવવામાં આવતું અભિયાન આજે ભારતમાં ચેન્નઇ તટ સુધી પહોંચી ગયું. કુઆલાલંપુરથી અનુરોધ બાદ ભારત બંગાળની ખાડીમાં તલાશી અભિયાન ચલાવવા માટે પોતાનો સહયોગ આપવા માટે તૈયાર થઇ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મલેશિયાનો અનુરોધ માનતાં ભારતે ચેન્નઇ તટથી લગભગ 300 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં 9,000 વર્ગ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પોતાની તલાશી અભિયાન શરૂ કરી કરી દિધું છે.
ગુમ વિમાન વિશે આવી રહેલા વિરોધાભાસી સમાચારોથી આ રહસ્ય વધુ ગાઢ બની ગયું છે કે 239 લોકોને લઇને જઇ રહેલા બોઇંગ એમએચ 370 વિમાન આખરે ક્યાં ગાયબ થયું. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રડાર સાથે સંપર્ક તૂટ્યા બાદ વિમાન પરત ફર્યું અને મલેશિયાની ઉપરથી પસાર થયું. એક અન્ય રિપોર્ટમાં એક અમેરિકન અધિકારીના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે તપાસ અધિકારી એ વાતની તપાસ કરી રહ્યાં છે કે આ ઘટના સમુદ્રીલૂંટ તો નથી ને.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
