ભારતને સોંપ્યો તો આત્મહત્યા કરી લઈશઃ નીરવ મોદી
ભારતમાં પંજાબ નેશનલ બેંકનો હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયેલ હીરા વેપારી નીરવ મોદીન જામીન અરજી બુધવારે યુકેની કોર્ટે ફગાવી દીધી છે.
ભારતમાં પંજાબ નેશનલ બેંકનો હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયેલ હીરા વેપારી નીરવ મોદીન જામીન અરજી બુધવારે યુકેની કોર્ટે ફગાવી દીધી છે. જે બાદ નીરવ મોદીએ કોર્ટમાં કહ્યુ કે જો મને ભારતને સોંપ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. નીરવ મોદીએ કોર્ટમાં કહ્યુ કે તેને જેલમાં ત્રણ વાર મારવામાં આવ્યો છે. નીરવ મોદીની આ તમામ દલીલોની કોર્ટ પર કોઈ અસર ન થઈ અને તેની જામીન અરજી કોટે ફગાવી દીધી.

પાંચમી વાર જામીન અરજી ફગાવી
નીરવ મોદી યુકેની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાના વકીલ સાથે હાજર થયો હતો. નીરવ મોદીએ જામીન માટે કોર્ટમાં આ પાંચમી વાર અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી. નીરવ મોદીના વકીલ કીથ ક્યુસીએ કોર્ટમાં નીરવ મોદીને મુક્ત કરવાની અપીલ કરી જેને કોર્ટે ફગાવી દીધી. તમને જણાવી દઈએ કે નીરવ મોદી પર આરોપ છે કે તેણે પંજાબ નેશનલ બેંકને બે અબજ ડૉલર રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો ત્યારબાદ ભારતે નીરવ મોદીને પ્રત્યાર્પિત કરવાની અરજી દાખલ કરી છે જેની સામે નીરવ મોદી યુકેની કોર્ટમાં કેસ લડી રહ્યો છે.

જેલની અંદર મારવામાં આવ્યો
નીરવ મોદી વકીલ કીથે કોર્ટમાં દાવો કર્યો કે તેના ક્લાયન્ટને જેલમાં ત્રણ વાર મારવામાં આવ્યો. તેને હાલમાં જ મંગળવારે જેલમાં મારવામાં આવ્યો. કીથે કહ્યુ કે જેલની અંદર બે અન્ય કેદી નીરવની સેલમાં આવ્યા અને નીરવ મોદીને મુક્કો મારીને પાડી દીધો ત્યારબાદ આ લોકોએ તેને લાતોથી પીડ્યો. એટલુ જ નહિ આ લોકોએ નીરવ મોદી સાથે લૂટફાટ પણ કરવાની કોશિશ કરી. જે સમયે આ ઘટના થઈ એ વખતે નીરવ મોદી ફોન પર વાત કરી રહ્યો હતો.

19 માર્ચે ધરપકડ
કોર્ટમાં નીરવ મોદીના વકીલે કહ્યુ કે તેની સાથે મારપીટ બાદ જેલમાં પ્રશાસને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી અને તેમને કોઈને મળવા પણ ન દીધા. એટલુ જ નહિ નીરવે કહ્યુ કે જો તેને ભારત મોકલવાનો નિર્ણય કરવામા આવતો તો તે આત્મહત્યા કરી લેતા. નીરવ મોદીએ કહ્યુ કે મને ભારતમાં નિષ્પક્ષ ટ્રાયલની બિલકુલ પણ આશા નથી. તમને જણાવી દઈએ કે નીરવ મોદીને 19 માર્ચે ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેની જામીન અરજીને પાંચમી વાર ફગાવી દેવામાં આવી છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
