પોપ ફ્રાંસિસે માન્યુ ચર્ચમાં પાદરી અને બિશપ કરે છે નનોનું યૌન શોષણ
પોપ ફ્રાંસિસે સાર્વજનિક મંચ પર એ વાતનો સ્વીકાર કર્યો છે કે કેથોલિક ચર્ચના પાદરીઓ અને બિશપ્સ નનોનું યૌન શોષણ કરે છે.
પોપ ફ્રાંસિસે સાર્વજનિક મંચ પર એ વાતનો સ્વીકાર કર્યો છે કે કેથોલિક ચર્ચના પાદરીઓ અને બિશપ્સ નનોનું યૌન શોષણ કરે છે. પોપે પોતાના યુએઈ પ્રવાસથી પાછા ફરતી વખતે મંગળવારે મીડિયા સાથે વાતચીત કરતા આ વાત કહી છે. પોપનું આ નિવેદન એ સમયે આવ્યુ છે જ્યારે ગયા સપ્તાહે વેટિકનથી નીકળતા મહિલાઓના મેગેઝીનમાં નનોના યૌન શોષણ વિશે એક આર્ટિકલ આવ્યો હતો. આ મેગેઝીનમાં કહેવામાં આવ્યુ હતુ કે નનોના યૌન શોષણના કારણે તેમને ગર્ભપાત માટે મજબૂર થવુ પડે છે અથવા એવા બાળકોનું પાલન પોષણ કરવુ પડે છે જેમને તેમના પાદરી પિતા તરફથી કોઈ ઓળખ આપવામાં આવતી નથી.

હાલમાં પણ છે આ સમસ્યા
પોપ ફ્રાંસિસે ફ્લાઈટમાં મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યુ, ‘અમુક પાદરી અને બિશપ્સ છે જેમણે આ કામ કર્યુ છે.' પોપને નનો વિશેનો એક સવાલ પૂછવામાં આવ્યો હતો. મેગેઝીનનો અંક ગયા વર્ષે ત્યારે સમાચારોમાં છવાયો હતો જ્યારે તેમાં કેરળના બિશપ પર વેટિકન સ્થિત ચર્ચમાં એક નનના બળાત્કારનો આરોપ લાગ્યો હતો. પોપે કહ્યુ કે આ સમસ્યા ક્યાંય પણ બની શકે છે પરંતુ અમુક સમૂહો અને અમુક વિસ્તારોમાં આ વિશાળ સ્તર પર છે.

ઘણુ બધુ કરવાનુ બાકી
પોપે કહ્યુ, ‘મને લાગે છે કે આ હજુ સુધી ચાલુ છે. તેમનુ કહેવુ હતુ કે ચર્ચે પહેલા ઘણા પાદરીઓને હટાવ્યા છે અને વેટિકન છેલ્લા ઘણા સમયથી મુદ્દે કામ કરી રહ્યુ છે. જો કે તેમણે કહ્યુ કે આમાં હજુ ઘણુ કરવાનું બાકી છે. પોપે આગળ કહ્યુ કે તે એ નથી સાંભળવા ઈચ્છકા કે ચર્ચામાં આ સમસ્યા હજુ સુધી છે. એટલા માટે આ દિશામાં હજુ વધુ કામ કરવાની જરૂર છે.'

મહિલાઓને બીજા દરજ્જાના સમજે છે અમુક લોકો
પોપે એ પણ કહ્યુ કે એ સંસ્કૃતિઓમાં સમસ્યા છે જ્યાં મહિલાઓને બીજા દરજ્જાની સમજવામાં આવે છે. વેટિકનથી પબ્લિશ થતા મેગેઝીન, ‘વિમેન ચર્ચ વર્લ્ડ' એક સપ્લીમેન્ટ છે. આને વેટિકનના ઓસ્સેવાટોર રોમાનો ન્યૂઝપેપર સાથે વિતરીત કરવામાં આવે છે. આ મેગેઝીનમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ઘણા દશકોથી નન ડરના કારણે આ સમગ્ર મુદ્દે મૌન રાખી રહી છે. મેગેઝીનમાં કહેવામાં આવ્યુ છે કે વેટિકનને આફ્રિકામાં વર્ષ 1990 માં પાદરીઓ તરફથી નનોના યૌન શોષણ વિશે જાણકારી મળી હતી.

કેરળના પાદરી પર લાગ્યો આરોપ
કેરળના બિશન ફ્રેંકો મુલાક્કલને 21 ડિસેમ્બર 2018ના રોજ કેરળમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેમણે વર્ષ 2014થી 2016 સુધી 13 વખત એક નનનો બળાત્કાર કર્યો. પોપ ફ્રાંસિસે તેમને આગલા દિવસે જ સસ્પેન્ડ કરી દીધા હતા અને સસ્પેન્શનના આગલા દિવસે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 53 વર્ષીય મુલાક્કલે જો કે આ આરોપોથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. નને પહેલી વાર જૂનમાં આના પર વાત કરી હતી પરંતુ પોલિસ સપ્ટેમ્બર સુધી માત્ર ઔપચારિક પૂછપરછ કરી રહી હતી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
