ફરી રવિ શાસ્ત્રીના શરણે બીસીસીઆઇ, બનાવ્યા ટીમ ડિરેક્ટર
મુંબઇ, 19 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ભારતના ખરાબ પ્રદર્શન બદલ બીસીસીઆઇ દ્વારા કડક પગલા હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે બીસીસીઆઇએ કોચ ડંકન ફ્લેચરની જાણેકે અવગણના કરતા પૂર્વ સુકાની રવિ શાસ્ત્રીને ટીમના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે બોલિંગ કોચ જો ડાવેસ અને ફિલ્ડિંગ કોચ ટ્રેવર પૈનીને આગામી વનડે શ્રેણીમાં 'બ્રેક' આપવામાં આવ્યો છે.
ટેસ્ટ શ્રેણીમાં ભારતે જે પ્રકારનું પ્રદર્શન કર્યું તેને લઇને બીસીસીઆઇ પર આકરાં પગલા ભરવાનું દબાણ વધી ગયું હતું. બીસીસીઆઇએ આ સાથે જ પૂર્વ ખેલાડીઓ સંજય બાંગર અને ભરત અરુણને સહાયક કોચ તથા શ્રીધરને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરી ટીમ પ્રબંધનમાં ધરખમ ફેરબદલ કર્યા છે. ફ્લેચર ટીમના મુખ્ય કોચ પદે યથાવત રહેશે, પરંતુ આ ફેરબદલ એ વાતનો સ્પષ્ટ સંકેત છેકે, તેમના પર કાતર ફેરવાઇ રહી છે અને 25 ઑગસ્ટથી શરૂ થઇ રહેલી વનડે શ્રેણીમાં શાસ્ત્રી ડિરેક્ટર તરીકેની ભૂમિકા નિભાવશે.
આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી-પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ

આ પહેલીવાર નથી બન્યુ
આ પહેલીવાર નથી કે શાસ્ત્રીને નુક્સાન ઓછુ કરવાની કવાયદ હેઠળ ટીમ ઇન્ડિયા સાથે જોડવામા આવ્યા હોય, આ પહેલા પણ જ્યારે વેસ્ટઇન્ડિઝમાં 2007ના વિશ્વકપમાં ટીમે ખરાબ પ્રદર્શન કર્યું હતુ અને તેને ધ્યાનમાં રાખીને કોચ ગ્રેગ ચેપલની હકાલપટ્ટી કરવામાં આવી હતી, ત્યારે પણ આ ઓલરાઉન્ડરને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમના ક્રિકેટ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અનેક ચર્ચાઓ બાદ લેવાયો આ નિર્ણય
બીસીસીઆઇએ પોતાની પ્રેસ નોટમાં કહ્યું છેકે છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમામ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ બીસીસીઆઇએ પૂર્વ ભારતીય સુકાની રવિ શાસ્ત્રીની સેવા લેવાનો નિર્ણય કર્યો છે, જે ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી વનડે મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમને માર્ગદર્શન આપશે.

શાસ્ત્રી ઓવરઓલ પ્રભારી પદે
પ્રેસનોટ અનુસાર ડંકન ફ્લેચર મુખ્ય કોચ પદે રહેશે, જ્યારે રવિ શાસ્ત્રી ભારતીય ટીમ સાથે જોડાયેલા ક્રિકેટ મામલાના ઓવરઓલ પ્રભારી હસે. સહાયક સ્ટાફમાં ભારતીયોને જોડવામાં આવ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ સંજય બાંગર અને ભારતના અન્ડર 19 કોચ ભરત અરુણ તથા ફિલ્ડિંગ કોચ આર શ્રીધરને ડાવેસ અને પૈનીના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

સંજય બાંગર સહાયક કોચ
વધુમાં કહેવામાં આવ્યું છેકે, બીસીસીઆઇએ વનડે શ્રેણી માટે બોલિંગ કોચ જો ડાવેસ અને ફિલ્ડિંગ કોચ ટ્રેવર પૈનીને બ્રેક આપ્યો છે અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સંજય બાંગર અને પૂર્વ ઝડપી બોલર ભરત અરૂણને ટીમના સહાયક કોચ બનાવવામાં આવ્યા છે. પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છેકે, આર શ્રીધર વનડે શ્રેણી માટે સહાયક ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે જોડાશે.

ધોની અંગે કોઇ નિર્ણય નહીં
ટેસ્ટ શ્રેણીમાં 1-3થી નાલેશીભર્યો પરાજય મળ્યા બાદ પૂર્વ ક્રિકેટર્સે ફ્લેચરને હટાવવાની માંગ કરતા કહ્યું હતું કે ટીમમાં તેમનું કોઇ યોગદાન નથી. પૂર્વ ખેલાડીઓએ ધીની નેતૃત્વ ક્ષમતા પર પણ પ્રશ્નાર્થ કર્યો હતો, જેમનો વિદેશી ધરતી પર રેકોર્ડ ઘણો જ ખરાબ છે. બીસીસીઆઇએ જોકે હાલ ધોની પર કોઇ નિર્ણય કર્યો નથી.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
