પાકિસ્તાનના આ મંદિરમાં શિવરાત્રિ પર હજારો ભક્તો ઊમટી પડે છે
મિત્રો અમે આપના માટે એક નવા લેખ શ્રેણીની શરૂઆત કરી છે. જે હેઠળ અમે આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મ્ય વિશે તેમજ પાકિસ્તાનમાં પણ હિન્દુ સંસ્કૃતિના અમીટ વારસાનો પરિચય કરાવી રહ્યા છીએ. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે.
આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ શારદા મંદિરમાં લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.
અત્રે નોંધનીય છે કે રત્નેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપરાંત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરાવામાં આવેલી છે. દરવર્ષે અહીં મહાશિવરાત્રીના દિવસે લગભગ 25000થી પણ વધારે શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે ઊમટી પડે છે.