For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં અમીટ હિન્દુ વારસો: ગોરી મંદિર, થારપારકર, સિંધ

|
Google Oneindia Gujarati News

મિત્રો આજે અમે આપના માટે એક નવા લેખ શ્રેણીની શરૂઆત કરી છે. જે હેઠળ અમે આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મ્ય વિશે તેમજ પાકિસ્તાનમાં પણ હિન્દુ સંસ્કૃતિના અમીટ વારસાનો પરિચય કરાવી રહ્યા છીએ. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે. આ શ્રેણીના પગલે અમે આપને આ પહેલા પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર, કટાસરાજ મંદિર અને હિંગળાજ મંદિરની યાત્રા કરાવી ચૂક્યા છીએ.

આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ ગોરી મંદિર, થારપારકર, સિંધમાં લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં થારપારકર જીલ્લામાં આવેલું ગોરી મંદિર મૂળ રૂપથી જૈન ધર્મને સમર્પિત છે. કહેવાય છે કે મધ્યકાળમાં બનેલા આ મંદિરમાં જૈન ધર્મના 23માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથની મુખ્ય મૂર્તિ સ્થાપિત કરેલી હતી, પરંતુ ત્યાર પછી આ મૂર્તિને મુંબઈ લઇ આવવામાં આવી. મુંબઈમાં હાલમાં જ્યાં ગોદીજી પાર્શ્વનાથ મંદિર છે ત્યાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થારપારકર જીલ્લામાં સ્થિત આ ગોરી મંદિરના સ્થાપત્યની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં આવેલ માઉન્ટઆબૂમાં જે પ્રકારની મંદિર શૈલી છે એવી જ શૈલી અત્રે જોવા મળે છે. આ મંદિર પાકિસ્તાનમાં વસતા હિન્દુઓનું એક વધારે અને મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. પાકિસ્તાનમાં સૌથી વધારે હિન્દુ પાકિસ્તાનના આ થારપારકર જીલ્લામાં જ વસે છે જે મૂળ આદિવાસી જાતિના છે. તેમને પાકિસ્તાનમાં થારી હિન્દુ કહેવામાં આવે છે. થારપારકરમાં આ થારી હિન્દુઓની વસ્તી કુલ વસ્તીના લગભગ 24 ટકા છે.

ગોરી મંદિરને જુઓ તસવીરોમાં...

ગોરી મંદિર, થારપારકર, સિંધ

ગોરી મંદિર, થારપારકર, સિંધ

આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ ગોરી મંદિર, થારપારકર, સિંધમાં લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.

જૈન ધર્મને સમર્પિત

જૈન ધર્મને સમર્પિત

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં થારપારકર જીલ્લામાં આવેલું ગોરી મંદિર મૂળ રૂપથી જૈન ધર્મને સમર્પિત છે.

મૂર્તિને મુંબઈ લઇ આવવામાં આવી

મૂર્તિને મુંબઈ લઇ આવવામાં આવી

કહેવાય છે કે મધ્યકાળમાં બનેલા આ મંદિરમાં જૈન ધર્મના 23માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથની મુખ્ય મૂર્તિ સ્થાપિત કરેલી હતી, પરંતુ ત્યાર પછી આ મૂર્તિને મુંબઈ લઇ આવવામાં આવી. મુંબઈમાં હાલમાં જ્યાં ગોદીજી પાર્શ્વનાથ મંદિર છે ત્યાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

માઉન્ટઆબૂમાં જે પ્રકારની મંદિર શૈલી

માઉન્ટઆબૂમાં જે પ્રકારની મંદિર શૈલી

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થારપારકર જીલ્લામાં સ્થિત આ ગોરી મંદિરના સ્થાપત્યની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં આવેલ માઉન્ટઆબૂમાં જે પ્રકારની મંદિર શૈલી છે એવી જ શૈલી અત્રે જોવા મળે છે.

મહત્વપૂર્ણ તીર્થ સ્થળ

મહત્વપૂર્ણ તીર્થ સ્થળ

આ મંદિર પાકિસ્તાનમાં વસતા હિન્દુઓનું એક વધારે અને મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. પાકિસ્તાનમાં સૌથી વધારે હિન્દુ પાકિસ્તાનના આ થારપારકર જીલ્લામાં જ વસે છે જે મૂળ આદિવાસી જાતિના છે.

થારી હિન્દુઓની વસ્તી

થારી હિન્દુઓની વસ્તી

પાકિસ્તાનમાં સૌથી વધારે હિન્દુ પાકિસ્તાનના આ થારપારકર જીલ્લામાં જ વસે છે જે મૂળ આદિવાસી જાતિના છે. તેમને પાકિસ્તાનમાં થારી હિન્દુ કહેવામાં આવે છે. થારપારકરમાં આ થારી હિન્દુઓની વસ્તી કુલ વસ્તીના લગભગ 24 ટકા છે.

હિંગળાજ માતાજીનું મંદિર

હિંગળાજ માતાજીનું મંદિર

હિંગળાજ માતાજીનું મંદિર, તસવીરો જોવા માટે ક્લિક કરો...

English summary
The Hindu heritage in Pakistan: Gori Temple, Tharparkar, Sindh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X