રેમડેસિવિર ન મળે તો ગભરાશો નહિ, તેના વિના પણ કોવિડ-19નો ઈલાજ સંભવ છે, જાણો શું કહે છે એક્સપર્ટ
તમે જાણીને ચોંકી જશો કે જે રેમડેસિવિર દવા માટે ચારે તરફ જે મારામારી ચાલી રહી છે તે કોવિડ સામેની એકમાત્ર દવા નથી. જાણો શું કહે છે એક્સપર્ટ.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના ડર વચ્ચે એક વસ્તુ કે જેની માંગ સૌથી વધુ છે તે રેમડેસિવિર દવા છે. કોરોના વાયરસના કારણે ગંભીર સ્થિતિમાં પહોંચેલા દર્દીઓને અપાતી આ દવાની એટલી માંગ છે કે છેલ્લા અમુક દિવસોમાં તે બજારમાંથી ગાયબ જ થઈ ગઈ અને બ્લેકમાં મળવા લાગી. જરૂરિયાતમંદ લોકો આના માટે અનેક ગણી કિંમત આપી રહ્યા હતા. આના માટે ઘણા રાજ્યોમાં સરકારો સક્રિય થઈ અને આ દવાને એકઠી કરવાનુ શરૂ કરવામાં આવ્યુ પરંતુ તમે જાણીને ચોંકી જશો કે જે રેમડેસિવિર દવા માટે ચારે તરફ જે મારામારી ચાલી રહી છે તે કોવિડ સામેની એકમાત્ર દવા નથી.

રેમડેસિવિર એકમાત્ર દવા નથી
રેમડેસિવિર ઑક્સિજન થેરેપી, વિટમિન સપ્લીમેન્ટ, સ્ટીરૉઈડ અને લોહી પાતળુ કરનારા ગુણોનુ એક મિશ્રણ છે જે કોરોનાના દર્દીઓને રિકવર કરવામાં મદદ કરી રહી છે પરંતુ તે એકમાત્ર દવા નથી. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં કોવિડની સ્થિતિ પર નજર રાખી રહેલી ટાસ્ક ફોર્સે 12 એપ્રિલે એક બેઠકમાં સ્પષ્ટ કર્યુ છે કે રેમડેસિવિરનો ઉપયોગ કર્યા વિના પણ દર્દીઓને બચાવી શકાય છે. મહારાષ્ટ્રની સ્ટેટ ટાસ્ક ફોર્સના પ્રમુખ સંજય ઓકે 13 એપ્રિલે જાહેર કરેલ પોતાની લેખિત સલાહમાં કહ્યુ કે રેમડેસિવિરને મોટોપાયે પ્રીસ્ક્રાઈબ કરવામાં આવી રહી છે. આનાથી લોકોમાં એ ધારણા બની છે કે આ એન્ટી વાયરલ જીવન બચાવશે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે દર્દીઓ અને તેમના પરિવારજનોએ ડૉક્ટરો પર રેમડેસિવિર આપવા માટે દબાણ ન કરવુ જોઈએ. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જ્યારે ઑક્સિજન થેરેપી, વિટામિન, સ્ટીરૉઈડ અને બ્લડ થિનરને જ્યારે મેડિકલ એક્સપર્ટના નિરીક્ષણ હેઠળ યોગ્ય રીતે આપવામાં આવે તો તે સારી રિકવરી આપે છે માટે લોકોએ રેમડેસિવિરની કમી પર ગભરાવુ ન જોઈએ.

રેમડેસિવિર એકલી કામ નથી કરતી
સંક્રમક રોગ વિશેષજ્ઞ જણાવે છે કે રેમડેસિવિર સાવચેતીપૂર્વક અમુક દર્દીઓમાં માત્ર બિમારીના સમયને ઘટાડે છે. આ વિશે એ ધારણા બની ગઈ છે કે તે જીવન રક્ષક છે જેના કારણે તે જ્યારે દર્દીને નથી મળતી તો તે હતાશ અને પરેશાન થઈ જાય છે. દૂર્ભાગ્યથી ઘણા લોકોને બિનજરૂરી રીતે આ દવા પર રાખવામાં આવી રહ્યા છે. અહીં વધુ એક વાત સમજવાની જરૂર છે કે રેમડેસિવિર એકલી કામ નથી કરતી. તેની અસર ત્યારે થાય છે જ્યારે તેને ઑક્સજન થેરેપી, સ્ટીરૉઈડ અને બ્લડ થિનર સાથે આપવામાં આવે છે. રેમડેસિવિર વાયરલની અસરને ઘટાડે છે. વળી, બીજી દવાઓ વાયરસના કારણે થતા સોજાને ઘટાડે છે.

રેમડેસિવિરના આડેધડ ઉપયોગને રોકવાની જરૂર
વાયરસના સંક્રમણના પ્રારંભિક તબક્કામાં રેમડેસિવિર નિશ્ચિત રીતે અસરકારક છે. આ રીતે ગંભીર રોગીઓ માટે ટોસીલિજુમાબ પણ વાયરસની અસરને ઘટાડવામાં મદદ કરે છે. જો કે વિશેષજ્ઞ આ દવાઓના આડેધડ ઉપયોગને સંપૂર્ણપણે હતોત્સાહિત કરવાની સલાહ આપે છે. ટાઈમ્સના સમાચાર અનુસાર રૂબી હાલ ક્લિનિકના ડૉક્ટર જિરપેનુ કહેવુ છે કે કોવિડના કારણે અમુક દર્દીઓના લોહીમાં શુગરનુ લેવલ વધી જાય છે કારણકે વાયરસ પેનક્રિયાટિક બીટાસેલને બદલે છે. આ ઉપરાંત ઈલાજમાં ઉપયોગમાં લેવાતી સ્ટીરૉઈડ પણ લોહીમાં ગ્લુકોઝને વધારવામાં સહાયક હોઈ શકે છે. માટે દર્દીઓ માટે પૂરતા હાઈડ્રેશન સાથે ઈન્સ્યુલીન ઈલાજના નિરીક્ષણની જરૂરી થઈ જાય છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
