Shortest war in history : ક્યાં લડાયુ હતું દુનિયાનું સૌથી નાનું યુદ્ધ? જાણો કેટલો સમય ચાલ્યુ હતુ?
Shortest war in history : જ્યાં દુનિયામાં વર્ષો સુધી ચાલેલા લાંબા યુદ્ધોનો ઇતિહાસ છે ત્યાં એક એવું યુદ્ધ પણ નોંધાયેલું છે જે ફક્ત 38 મિનિટમાં પૂરું થઈ ગયું હતું.
ઇતિહાસમાં ઘણાં યુદ્ધો એવા જોવા મળે છે જે લાંબા સમય સુધી ચાલ્યા અને તેમનાથી ભારે વિનાશ થયો. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ જેવા યુદ્ધો ચારથી છ વર્ષ સુધી ચાલ્યા હતા.

પરંતુ એક યુદ્ધ એવું પણ છે જે માત્ર 38 મિનિટમાં સમાપ્ત થઈ ગયું. આ યુદ્ધ 27 ઓગસ્ટ 1896ના રોજ બ્રિટન અને ઝાંઝીબાર (આજે તે તાન્ઝાનિયાનો ભાગ છે) વચ્ચે લડાયું હતું.
આ યુદ્ધનું મૂળ કારણ રાજકીય વિવાદ હતું. 1893માં બ્રિટિશ સરકારે ઝાંઝીબારનું સંચાલન કરવા માટે સૈયદ હમદ બિન થુવૈનીની નિમણૂક કરી હતી.
તેમણે શાંતિપૂર્ણ રીતે શાસન કર્યું પરંતુ 25 ઓગસ્ટ 1896ના રોજ તેમનું અવસાન થયું. હમદના મૃત્યુ બાદ તેમના ભત્રીજા ખાલિદ બિન બરગશે પોતાને ઝાંઝીબારના સુલતાન તરીકે જાહેર કર્યા.
આ વાત બ્રિટનને પસંદ ન પડી, કારણ કે ઝાંઝીબાર પર તેમનું નિયંત્રણ હતું. બ્રિટિશ સરકાર ઇચ્છતી હતી કે હમદનો પિતરાઈ ભાઈ હમુદ બિન મોહમ્મદને સુલતાન બનાવવામાં આવે. બ્રિટને ખાલિદને સુલતાન પદ છોડવાનો આદેશ આપ્યો, પરંતુ ખાલિદે આ આદેશનો અસ્વીકાર કર્યો અને પોતાના મહેલની આસપાસ લગભગ 3000 સૈનિકો તૈનાત કર્યા.
ખાલિદના આ વલણથી બ્રિટન નારાજ થયું અને તેણે ખાલિદને ચેતવણી આપી. જો કે, ખાલિદે આ ચેતવણીને અવગણી. આખરે 27 ઓગસ્ટે બ્રિટિશ સેનાએ ઝાંઝીબાર પર હુમલો કર્યો. યુદ્ધ શરૂ થયું અને ખાલિદની સેનાએ માત્ર 38 મિનિટમાં હાર સ્વીકારી લીધી. આ હુમલામાં ખાલિદના લગભગ 500 સૈનિકો માર્યા ગયા.
આ યુદ્ધ દુનિયાના ઇતિહાસમાં સૌથી ટૂંકા યુદ્ધ તરીકે નોંધાયું છે, જે રાજકીય વિવાદ અને બ્રિટિશ સેનાની શક્તિનું પ્રતીક બની રહ્યું.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
