રિવરફ્રન્ટ બંધ, ધરોઇ ડેમનું પાણી પહોંચ્યું સાબરમતીમાં
ધરોઇ ડેમનું પાણી સાબરમતીમાં છોડતા સાબરમતી થઇ બે કાંઠે. રિવરફ્રન્ટના વોકમાં પણ ભરાયા પાણી માટે તંત્ર કર્યું તેને બંધ. અમદાવાદમાં વરસાદ શું સ્થિતિ છે તે અંગે વધુ જાણો અહીં.
અમદાવાદ: ધરોઇ ડેમનું પાણી સાબરમતીમાં નાંખતા મંગળવાર સવારે સાબરમતી બે કાંઠે થઇ ગઇ હતી. અને બપોર સુધીમાં પાણીની લેવલ ભયજન સપાટીએ આવી જતા અમદાવાદમાં રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો હતો. ધરોડ ડેમમાંથી અંદાજે 1.25 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે રિવરફ્રન્ટનો વોક વે પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. સાથે જ સાવચેતીના પગલા રૂપે રિવરફ્રન્ટ ખાતે પોલીસ બંદોવસ્ત પણ મૂકવામાં આવ્યો છે. અને લોકોને સ્લેફી લેવાના ચક્કરમાં જાનનું જોખમ ન લેવાનું સૂચન પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. વધુમાં મેયર ગૌતમ શાહે વાસણા બેરેજની મુલાકાત લઇને પણ પાણીની સ્થિતિ અંગે ચકાસણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે ધરોઇ ડેમથી સવારે 5 વાગે પાણી છોડવામાં આવતા નદીના નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. સાથે જ વણઝારા, બાકરોલ અને ફતેહવાડી તથા ગ્યાસપુર જેવા વિસ્તારોમાં પણ નદી પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે.

સાથે જ શહેરના 54 જેટલા ભયજનક મકાનોની ફરિયાદમાંથી 49 ફરિયાદો પર તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ 5 દિવસના વરસાદમાં શહેરભરમાંથી 207 જેટલા ઝાડ પડવાની જાણકારી મળી છે. ત્યારે હવામાન ખાતા દ્વારા 27મી સુધી ભારે વરસાદની આગાહી રાજ્યભર માટે કરવામાં આવી છે.
રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે- ધરોઈ ડેમમાંથી છોડેલા પાણીથી રિવરફ્રન્ટમાં પાણીનું સ્તર ૮ ફૂટ વધ્યું છે,ટૂંક સમયમાં જે બીજા ૮ ફૂટ વધશે. pic.twitter.com/cQHH3Rpynh
— Gautam Shah (@igautamshah) July 25, 2017
-
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો -
જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી -
IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં નહીં રમે રિંકુ સિંહ, મોટું કારણ આવ્યું સામે -
જોર્ડનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થિનીની સુરક્ષિત વાપસીમાં ઈફ્કોએ ભજવી મહત્વની ભૂમિકા








Click it and Unblock the Notifications
