બળાત્કાર બાદ આસારામના આશ્રમમાં થતું હતું યુવતીઓનું ગર્ભપાત
અમદાવાદ, 19 ઓક્ટોબર: સફેદ વસ્ત્ર પહેરીને પોતાને ભગવાનનું રૂપ માનનાર આસારમ બાપુ હવે ખરાબ રીતે ફસાઇ ચૂક્યા છે. રોજ નવાનવા આરોપોથી ઘેરાયેલા આસારામનું જેલમાંથી બહાર નીકળવાની શક્યતા હવે ઓછી દેખાઇ રહી છે. અમદાવાદ કોર્ટે આસારામના પોલીસ રિમાન્ડ વધારીને તેમને 22 ઓક્ટોબર સુધી જેલમાં રાખવાના આદેશ આપી દીધા છે.
અમદાવાદ પોલીસે તેમના પર ગંભીર ચાર્જ લગાવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આસારામ પોતાના આશ્રમમાં યુવતીઓ પર બળાત્કાર ગુજાર્યા બાદ તેમનું ગર્ભપાત કરાવતા હતા. પોલીસના ચાર્જ અનુસાર વિવાદાસ્પદ ગુરુ આાસારામના આશ્રમમાં બળાત્કાર પીડિતાઓનું ગર્ભપાત કરાવવામાં આવતું હતું.
પોલીસ દ્વારા લગાવવામાં આવેલા આ ગંભીર આરોપ બાદ ગાંધીનગર કોર્ટે આસારામ પર કોઇ નરમી નહીં દાખવતા પોલીસ રિમાન્ડની સમયમર્યાદા વધારી દીધી છે. કોર્ટમાં રજૂઆત દરમિયાન ગુજરાત પોલીસે કડક શબ્દોમાં આસારામને જામીન આપવાનો વિરોધ નોંધાવ્યો. પોતાની ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું કે આસારામના આશ્રમમાં યુવતીઓ પર બળાત્કાર થતો રહ્યો જ્યારે યુવતીઓ ગર્ભવતી થઇ જતી તો તેમનું ગર્ભપાત કરવામાં આવતું હતું.

ઉલ્લેખનીય છે કે 10 વર્ષો સુધી આસારામના આશ્રમમાં સાધિકાનું કામ કરનાર યુવતીએ આસારામ પર આરોપ લગાવતા કહ્યું હતું કે આસારામે તેનું લાંબા સમય સુધી શારિરીક શોષણ કર્યું. પહેલીવાર 2001માં આસારામે જબરદસ્તી તેની પર બળાત્કાર કર્યો. સુરતની બે બહેનોના આરોપ બાદ જ આસારામને પૂછપરછ માટે ગુજરાત લાવવામાં આવ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
