ગોધરા કાંડ: નરેન્દ્ર મોદીને મળી ક્લિનચીટ, 3 IPSની ભુમીકા નકારાત્મક
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો પૂર્વઆયોજીત નહોતા. માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી.
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો પૂર્વઆયોજીત નહોતા. માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી. આ તોફાનોમાં રાજકીય આગેવાન અશોક ભટ્ટ, ભરત બારોટ અને હરેન પંડ્યાની પણ સંડોવણી નહોતી. આજે વિધાનસભામાં રજૂ થયેલા નાણાવટી પંચના અહેવાલ અંગેની વિગતો આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા હતા તે આરોપ ખોટા પૂરવાર થયા છે. આ તોફાનોમાં ત્રણ અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકા હોવાનું પૂરવાર થયું છે.

ઉલ્લેખનિય છે કે, સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એસ-6 કોચને આગ લગાવવાના બનાવની તપાસ માટે રાજ્ય સરકારે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ પંચની રચના કરી હતી. બુધવારે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ તપાસ અહેવાલનો ભાગ બે રજૂ કર્યો છે. આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહ રાજ્યમંત્રીએ રિપોર્ટનાં અગત્યનાં મુદ્દાઓ જણાવ્યાં છે. તેમાં જણાવાયું છેકે ગોધરાકાંડ બાદની રમખાણો પૂર્વ આયોજીત ન હતી. આ કાંડમાં નરેન્દ્ર મોદી તથા બીજા કોઇપણ નેતાની ભુમીકા ન હતી. આ દિવસે સરકારે કોઇ પણ બંધની જાહેરાત આપી ન હતી.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
