સમય સાથે દૃષ્ટિ બદલાઇઃ મોદી પર આમિર ‘ફના’
નવી દિલ્હી, 23 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે બૉલીવુડના જાણીતા અભિનેતા અને નિર્દેશક આમિર ખાને નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે મુલાકાત કરી હતી. નોંધનીય છેકે થોડાક સમય પહેલાં જ ભોપાલ ખાતે એક સેન્ટરનુ ઉદ્ઘાટન કરતી વખતે જ તેમણે મોદી પ્રત્યેની પોતાની દૃષ્ટિ બદલાઇ હોવાનું સ્વીકાર્યું હતુ અને મુલાકાત કરશે તેમ જણાવ્યું હતું, જેના ભાગરૂપે આજે તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ બોલીવુડ સ્ટાર્સ માને છે મોદી સાથેની મુલાકાત યાદગાર રહી
સોમવારે ભોપાલ ખાતે દેશના પહેલા વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવા આવેલા આમિર ખાને પત્રકારોને જણાવ્યું હતું, કે મોદી સરકારે દેશને ઘણા વાયદા કર્યા છે, તેથી જનતાની અપેક્ષાઓ વધી ગઇ છે અને મને પણ મોદીથી ઘણી ઉમીદો છે. સરદાર પટેલ ડેમની ઉંચાઇ વધારવાના સંબંધમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આમિરે કહ્યું કે, હું નર્મદા આંદોલન બચાવો અભિયાન સાથે જોડયો નથી. મે ડેમ પ્રભાવિતોના પુનર્વાસ અને પુનર્સ્થાપનાના મુદ્દેના આંદોલને માત્ર સમર્થન કર્યું હતું. જોકે સરદાર સરોવર ડેમને લઇને તેમને મોદી સાથે કોઇ મતભેદ નથી.
અત્રે ઉલ્લેખનીય છેકે, 2006માં સરદાર સરોવર ડેમને લઇને આમિર ખાને ગુજરાત સરકાર તથા મોદી વિરુદ્ધી ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમની એ સમયે રજૂ થયેલી ફિલ્મને ગુજરાતમાં પ્રદર્શિત થવા દેવામાં આવી નહોતી અને જામનગરમાં એક વિપ્ર યુવાને આત્મહત્યા પણ કરી હતી.

આમિર ખાને નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
અભિનેતા આમિર ખાને સાઉથ બ્લોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

મોદી પ્રત્યેની દૃષ્ટી બદલાઇ
મુલાકાત પૂર્વે એક કાર્યક્રમમાં આમિર ખાને કહ્યું હતું કે સરદાર સરોવર ડેમને લઇને મોદી સાથે તેમને કોઇ મતભેદ નથી અને મોદી પ્રત્યેની તેમની દૃષ્ટિ બદલાઇ છે.

ભાપોલમાં વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન
આમિર ખાને ભોપાલમાં વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે અનેક સંસ્થાઓના આપસી સહયોગથી સંચાલિત કરવામાં આવી રહી છે. જેની અનેક શાખાઓ મધ્યપ્રદેશના તમામ શહેરોમાં ખુલવાની છે. જે હેઠળ હિંસા શિકાર મહિલાઓને ચિકિત્સકીય સુવિધા અને કાયદાકીય સહાયતા આપવામાં આવશે.

ગુજરાતમાં થયો હતો આમિરની ફિલ્મનો વિરોધ
2006માં સરદાર સરોવર ડેમને લઇને આમિર ખાને ગુજરાત સરકાર તથા મોદી વિરુદ્ધી ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમની એ સમયે રજૂ થયેલી ફિલ્મને ગુજરાતમાં પ્રદર્શિત થવા દેવામાં આવી નહોતી.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
