સમય સાથે દૃષ્ટિ બદલાઇઃ મોદી પર આમિર ‘ફના’
નવી દિલ્હી, 23 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે બૉલીવુડના જાણીતા અભિનેતા અને નિર્દેશક આમિર ખાને નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે મુલાકાત કરી હતી. નોંધનીય છેકે થોડાક સમય પહેલાં જ ભોપાલ ખાતે એક સેન્ટરનુ ઉદ્ઘાટન કરતી વખતે જ તેમણે મોદી પ્રત્યેની પોતાની દૃષ્ટિ બદલાઇ હોવાનું સ્વીકાર્યું હતુ અને મુલાકાત કરશે તેમ જણાવ્યું હતું, જેના ભાગરૂપે આજે તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ બોલીવુડ સ્ટાર્સ માને છે મોદી સાથેની મુલાકાત યાદગાર રહી
સોમવારે ભોપાલ ખાતે દેશના પહેલા વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવા આવેલા આમિર ખાને પત્રકારોને જણાવ્યું હતું, કે મોદી સરકારે દેશને ઘણા વાયદા કર્યા છે, તેથી જનતાની અપેક્ષાઓ વધી ગઇ છે અને મને પણ મોદીથી ઘણી ઉમીદો છે. સરદાર પટેલ ડેમની ઉંચાઇ વધારવાના સંબંધમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આમિરે કહ્યું કે, હું નર્મદા આંદોલન બચાવો અભિયાન સાથે જોડયો નથી. મે ડેમ પ્રભાવિતોના પુનર્વાસ અને પુનર્સ્થાપનાના મુદ્દેના આંદોલને માત્ર સમર્થન કર્યું હતું. જોકે સરદાર સરોવર ડેમને લઇને તેમને મોદી સાથે કોઇ મતભેદ નથી.
અત્રે ઉલ્લેખનીય છેકે, 2006માં સરદાર સરોવર ડેમને લઇને આમિર ખાને ગુજરાત સરકાર તથા મોદી વિરુદ્ધી ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમની એ સમયે રજૂ થયેલી ફિલ્મને ગુજરાતમાં પ્રદર્શિત થવા દેવામાં આવી નહોતી અને જામનગરમાં એક વિપ્ર યુવાને આત્મહત્યા પણ કરી હતી.

આમિર ખાને નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
અભિનેતા આમિર ખાને સાઉથ બ્લોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

મોદી પ્રત્યેની દૃષ્ટી બદલાઇ
મુલાકાત પૂર્વે એક કાર્યક્રમમાં આમિર ખાને કહ્યું હતું કે સરદાર સરોવર ડેમને લઇને મોદી સાથે તેમને કોઇ મતભેદ નથી અને મોદી પ્રત્યેની તેમની દૃષ્ટિ બદલાઇ છે.

ભાપોલમાં વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન
આમિર ખાને ભોપાલમાં વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે અનેક સંસ્થાઓના આપસી સહયોગથી સંચાલિત કરવામાં આવી રહી છે. જેની અનેક શાખાઓ મધ્યપ્રદેશના તમામ શહેરોમાં ખુલવાની છે. જે હેઠળ હિંસા શિકાર મહિલાઓને ચિકિત્સકીય સુવિધા અને કાયદાકીય સહાયતા આપવામાં આવશે.

ગુજરાતમાં થયો હતો આમિરની ફિલ્મનો વિરોધ
2006માં સરદાર સરોવર ડેમને લઇને આમિર ખાને ગુજરાત સરકાર તથા મોદી વિરુદ્ધી ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમની એ સમયે રજૂ થયેલી ફિલ્મને ગુજરાતમાં પ્રદર્શિત થવા દેવામાં આવી નહોતી.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
