પીએમ મોદીએ કોરોના માટે શેર કરી આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન, જણાવ્યા બચવાના ઉપાય
રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘરમાં અલગ રહેવા અંગે આરોગ્ય મંત્રાલયના દિશાનિર્દેશ ટ્વિટર પર શેર કર્યા છે.
દુનિયામાં મહામારીનુ રૂપ લઈ ચૂકેલ કોરોના વાયરસ હવે ભારતના ઘણા રાજ્યોમાં ફેલાઈ ગયો છે. શનિવાર સુધી દેશમાં આ વાયરસથી 84 લોકો સંક્રમિત થઈ ગયા છે. વળી, બે લોકોના મોત થઈ ચૂક્યા છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘરમાં અલગ રહેવા અંગે આરોગ્ય મંત્રાલયના દિશાનિર્દેશ ટ્વિટર પર શેર કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ દિરશાનિર્દેશ જારી કરીને લખ્યુ, અહીં અમુક મહત્વપૂર્ણ સૂચના છે. આ વાંચો.

વળી, આરોગ્ય મંત્રાલયે આ અંગે જારી દિશાનિર્દેશોમાં કહ્યુ કે ઘર પર અલગ રાખવાનો ઉદ્દેશ તમારી અને તમારા પ્રિયજનોની રક્ષા કરવાનો છે. આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન
- જેમને ઘર પર અલગ રાખવામાં આવ્યા છે તેમને એક અલગ રૂમમાં રહેવુ જોઈ કે જે હવાદાર હોય અને તેને એનાથી લાગેલુ શૌચાલય હોય કે પછી અલગ શૌચાલય હોય.
- જો પરિવારના કોઈ અન્ય સભ્યને એ રૂમમાં રહેવુ જરૂરી હોય તો એ સલાહ આપવામાં આવે છે કે બંનેની વચ્ચે ઓછામાં ઓછી મીટરની દૂરી હોય.
- ઘરમાં અલગ રાખેલા વ્યક્તિઓને વૃદ્ધ, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને કોઈ બિમારીથી પીડિત વ્યક્તિઓથી દૂર રહેવુ જોઈએ કારણકે તેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
