શું હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ? ICMRએ જણાવ્યુ સત્ય
લોકોમાં એવી ધારણા પણ જોવા મળી છે કે કોરોના વાયરસ હવાના માધ્યમથી પણ તંદુરસ્ત વ્યક્તિમાં પહોંચી શકે છે.
લૉકડાઉનના કારણે ઘણા દેશોના કરોડો લોક પોતાના ઘરોમાં કેદ રહેવા મજબૂર છે. કોરના વાયરસથી માત્ર લોકોના જીવ જ નથી જઈ રહ્યા પરંતુ ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર પણ ખરાબ અસર પડી રહી છે. વિશ્વમાં કોરોના વાયરસથ સંક્રમિત લોકોની સંખ્યા 12 લાખને પાર જઈ ચૂકી છે. જે ઝડપથી આ વધી રહ્યુ છે તેના પર જો જલ્દી કાબુ ન મેળવાયો તો પરિણામ બહુ ગંભીર આવી શકે છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો સફાઈનુ પૂરુ ધ્યાન રાખી રહ્યા છે અને સામાજિક અંતરનુ પાલન કરી રહ્યા છે.

આ દરમિયાન લોકોમાં એવી ધારણા પણ જોવા મળી છે કે કોરોના વાયરસ હવાના માધ્યમથી પણ તંદુરસ્ત વ્યક્તિમાં પહોંચી શકે છે. જો કે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ એવા દાવાને માનવાનો ઈનકાર કરી દીધો છે. રવિવારે એક નિવેદનમાં આઈસીએમઆરે કહ્યુ કે હજુ સુધી દેશ-દુનિયામાં એવુ પ્રમાણ નથી મળ્યુ કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે. માટે બહેતર છે કે આવા કોઈ દાવા પર તથ્યોના ભરોસો કરી લેવો યોગ્ય નથી.












Click it and Unblock the Notifications
