તાલિબાનોએ કાબુલમાં દૂતાવાસ ચાલુ રાખવા ભારત સાથે સંપર્ક કર્યો-રિપોર્ટ
અફઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રવેશ બાદ બધું બદલાઈ ગયું છે. મોટાભાગના દેશોએ ત્યાં તેમના દૂતાવાસ બંધ કરી દીધા છે. રાજદ્વારીઓ અને નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રવેશ બાદ બધું બદલાઈ ગયું છે. મોટાભાગના દેશોએ ત્યાં તેમના દૂતાવાસ બંધ કરી દીધા છે. રાજદ્વારીઓ અને નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. ભારતે પણ કાબુલમાં તેના દૂતાવાસ પણ ખાલી કર્યાુ છે અને રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. પરંતુ તાલિબાન ભારત સાથે સંબંધો જાળવી રાખવા માંગે છે. તાલિબાને ભારતને કાબુલમાં પોતાની રાજદ્વારી હાજરી ચાલુ રાખવા વિનંતી કરી છે. જો કે, અત્યાર સુધી ભારત સરકાર તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
તાલિબાને સંપર્ક કર્યો હોવાનો રિપોર્ટમાં દાવો
સ્કાય ન્યૂઝે સૂત્રોને ટાંકીને કહ્યું કે તાલિબાનના નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનીકઝઈએ 15 ઓગસ્ટે કાબુલ કબજે કર્યા બાદ તેમના સંપર્કો દ્વારા ભારતને સંદેશ મોકલ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય અધિકારીઓને જણાવો કે તેમને કાબુલમાં જોખમમાં નથી.
તાલિબાન નેતાએ પોતાના સંપર્કથી મેસેજ મોકલ્યો
સ્ટાનિકઝઈ ટોચના તાલિબાન નેતાઓમાંથી એક છે. 15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કબજો મેળવ્યા બાદ ભારત તેના રાજદ્વારીઓને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે સ્ટાનિકઝઇએ તેના સંપર્ક સ્રોત દ્વારા ભારત સરકારને એક સંદેશ મોકલ્યો હતો કે તે કાબુલમાં કોઈ ખતરો નથી.
ભારતને ખતરો ન હોવાનું જણાવ્યુ
રિપોર્ટ અનુસાર, એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ભારતને ચિંતા છે કે તેના દૂતાવાસને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે ઝાંગવી અથવા હક્કાની ગ્રુપથી ખતરો છે તો એવું નથી. તાલિબાન દ્વારા ભારતને ખાતરી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કાબુલ તાલિબાન પાસે છે, અહીં બીજું કોઈ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનના ભૂતકાળના રેકોર્ડને જોતા ભારત માટે તેના પર વિશ્વાસ રાખવો શક્ય નથી.
ભારત વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યું છે
આ અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત હવે અફઘાનિસ્તાન પર રાહ જુઓ અને જુઓની નીતિને અનુસરી રહ્યું છે. વિશ્વના લોકશાહી દેશો તાલિબાની સરકાર અંગે જે પણ નિર્ણય લેશે, ભારત પણ તે મુજબ પોતાનો નિર્ણય લેશે.