મેરઠ: પરવાનગી છતાં મહાપંચાયત, પોલીસ દ્વારા ફાયરીંગ
મેરઠ, 29 સપ્ટેમ્બર : બે અઠવાડીયા સુધી રમખાણોની આગમાં સળગતા રહેલા મુઝફ્ફરનગરમાં એકવાર ફરી તણાવ ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તાજા સમાજારો અનુસાર મેરઠના સરધનામાં થઇ રહેલી મહાપંચાયત દરમિયાન જોડાયેલી ભીડે કમિશ્નર, ડીઆઇજી, ડીએમ અને એસએસપીને ઘેરી લીધા છે. લાંબા સમય સુધી ફાયરીંગ અને તેમાં ત્રણ લોકોના ઘાયલ થવાના પણ સમાચાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રમખાણોના આરોપમાં ધરપકડ કરાયેલા બીજેપી વિધાયકોના સમર્થનમાં મેરઠના સરધનામાં એક મહાપંચાયત કરવામાં આવી રહી છે. તંત્રએ મહાપંચાયત પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે, પરંતુ તંત્રના આદેશનો કોઇ અસર જોવા મળ્યો ન્હોતો. મહાપંચાયતમાં સામેલ હજારો લોકો સરધનામાં આક્રમક બની ગયા છે.
જ્યારે મુઝફ્ફરનગરના ઘણા વિસ્તારોમાં મહિલાઓએ પંચાયત કરીને એલાન કર્યું છે કે હવે રમખાણોના નામે કોઇ પણ ધરપકડ કરવામાં આવી તો તેઓ પોલીસ સાથે બાથ ભીડવવા તૈયાર છે.