પાક ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ શરમજનકઃ તાલિબાન
તેમણે કહ્યું કે, ખુદાએ ઇચ્છ્યુ તો તહરીક એ તાલિબાન પાકિસ્તાન ભારતમાં શહિદોના ઋણ ટૂંક સમયમાં ચૂકાવી દેશે. કાશ્મિરોઓના ખુનને ભુલાવો નામથી પોતાના નિવેદનમાં એહસાને કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ એવા સમયે ભારત જઇ રહી છે જ્યાર ભારત કાશ્મિરી મુસ્લિમ રાષ્ટ્રને આઝાદી નથી આપી રહ્યું.
તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમણે(ભારતે) અમારા નાયક શહિદ અજમલ કસાબની હત્યાની કિંમત ચૂકાવવી પડશે. પાકિસ્તાની તાલિબાને ગયા મહિને જ અજમલ કસાબન ફાંસી આપવા બદલ કાર્યવાહી કરવા અને ભારતીયોને નિશાન બનાવવાની ધમકી આપી હતી.
નોંધનીય છે કે 2008માં મુંબઇમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવિત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. મુંબઇમાં થયેલા હુમલાઓમાં પોલીસ અધિકારીઓ, એનએસજી કમાન્ડો સહિત થયા હતા અને અનેક નિર્દોષ નાગરીકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. કસાબને ફાંસી આપવામાં આવ્યા બાદ તાલિબને તેને શહિત તરિકે ગણાવ્યો હતો અને તેની મોતનો બદલો લેવા માટે ભારતમાં દહેશત ફેલવવાની ધમકી આપવામા આવી હતી.