ભારતનું એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન મહાબલેશ્વર
મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મહાબલેશ્વર એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. પશ્ચિમી ઘાટમાં સ્થિત, આ સ્થળ વિશ્વના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાં સામેલ છે. મહાબલેશ્વરમાં પ્રવાસી ગરમીની ઋતુમાં જવાનું વધારે પસંદ કરે છે. મહાબલેશ્વરનો શાબ્દિક અર્થ થાય છે- ગોફ ઓફ ગ્રેટ પાવર, એટલે કે ભગવાનની મહાન શક્તિ. મહાબલેશ્વરને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે. અહીં વીના, ગાયત્રી, સાવિત્રી, કોયના અને કૃષ્ણા નામની પાંચ નદીઓ વહે છે. 4,450 ફૂટની ઉંચાઇ પર વસેલું આ શહેર 150 વર્ગ કિ.મી.ના ક્ષેત્રમાં ફેલાયેલું છે. મહાબલેશ્વર, મુંબઇથી 220 કિ.મી. અને પૂણેથી 180 કિ.મી. દૂર સ્થિત છે.
મહાબલેશ્વરની શોધ સૌથી પહેલા રાજા સિંઘણે કરી હતી. અહીંનું પ્રસિદ્ધ મહાબલેશ્વર મંદિર તેમણે જ બનાવ્યું હતું. 17મી સદી બાદ શિવાજી રાજેએ આ ક્ષેત્ર પર કબજો કરીને અહી પ્રતાપગઢ કિલ્લો બનાવ્યો હતો. 1819માં અંગ્રેજોએ મહાબલેશ્વરને પોતાના હસ્તગત લીધું. આઝાદી બાદ મહાબલેશ્વર એક હિલ સ્ટેશનના રૂપમાં ઉભર્યું.
મહાબલેશ્વરમાં 30થી વધુ સ્થળો છે, જ્યાં પ્રવાસી ભ્રમણ કરી શકે છે. આ ઘાટીઓ, જંગલ, ઝરણા અને ઝીલોની યાત્રાથી થાક દૂર થાય છે. અહીં આવીને સાંજે વિલ્સન પોઇન્ટને જોવાથી અનોખી અનુભૂતિ થાય છે. ઇકો પોઇન્ટ બાળકોનું મનપસંદ સ્થળ છે, જ્યાં જોરથી બૂમ પાડતા અવાજ પરત ફેંકાય છે. એલ્ફિંસ્ટન પોઇન્ટ, માર્જોરી પોઇન્ટ, કૈસલ રોક, ફોકલેન્ડ પોઇન્ટ, કારનેક પોઇન્ટ અને બોમ્બે પોઇન્ટ જોવાનું ના ભૂલો. અહીનો વિશ્વ પ્રસિદ્ધ પ્રતાપગઢ કિલ્લો શિવાજી મહારાજે બનાવડાવ્યો હતો. જે પ્રવાસીઓ માટે કૃતુહલનો વિષય બન્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ મહાબલેશ્વરને.

આર્થર સીટ
મહાબલેશ્વરમાં આવેલું આર્થર સીટ

મહાબલેશ્વર
મહારાષ્ટ્રમાં આવેલુ સુંદર હિલ સ્ટેશન મહાબલેશ્વર

મહાલબેશ્વરનો રોમેન્ટિક નજારો
મહાબલેશ્વરનો આ રોમેન્ટિક નજારો તમારી અંદરના પ્રેમને વધુ તાજો બનાવી દેશે.

પ્રતાપગઢ કિલ્લો
મહાબલેશ્વરમાં આવેલો પ્રતાપગઢ કિલ્લો
-
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો -
જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી -
IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં નહીં રમે રિંકુ સિંહ, મોટું કારણ આવ્યું સામે -
જોર્ડનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થિનીની સુરક્ષિત વાપસીમાં ઈફ્કોએ ભજવી મહત્વની ભૂમિકા








Click it and Unblock the Notifications
