આંખનું તેજ વધારવામાં મદદરૂપ છે આ ક્રિસ્ટલ!
આ ક્રિસ્ટલ ધારણ કરશો તો આંખના રોગમાંથી મળશે મુક્તિ
આંખ મનુષ્ય માટે ઈશ્વર તરફથી મળેલી ઉત્તમ ભેટ છે, તેની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. આંખો વિના સંસાર અંધકારભર્યો છે. કોઈ જન્મજાત ખામી, ડિસઓર્ડર કે કોઈ બિમારીને કારણે ક્યારેક ઓછી ઉંમરમાં આંખે ઓછું દેખાવાનું શરૂ થઈ જાય તો પછી શરૂ થઈ જાય છે દવાખાનાની દોડધામ. જો તમારી આંખની બિમારીનો ઈલાજ ચાલી રહ્યો હોય તો સારી વાત છે, પણ રત્ન ચિકિત્સામાં એવા અનેક હિલિંગ સ્ટોનનો ઉલ્લેખ છે, જેનાથી માત્ર આંખોના રોગ જ નહિં પણ વધતી ઉંમર સાથે ઘટતુ આંખનું તેજ જાળવી રાખવામાં પણ મદદ મળે છે.

બ્લેક એજેટ
કાળા રંગનો આ ક્રિસ્ટલ આંખના અનેક રોગોને દૂર કરે છે. ક્રિસ્ટલ થેરેપિસ્ટના કહેવા પ્રમાણે, બ્લેક એજેટને હલકા હાથે આંખની પાંપણ પર ઘસવાથી આંખોની આસપાસ લોહીનું ભ્રમણ નિયમિત થાય છે. તેનાથી આંખોની નીચે બનેલા કાળા કુંડાળા ઓછા થાય છે અને દ્રષ્ટિ દોષ દૂર થઈ, નેત્રની જ્યોતિ વધે છે. બ્લેક એજેટને આંગળીમાં પહેરવાથી પણ આંખના રોગ દૂર થાય છે.
એક્વામરીન
પ્રવાહી તત્વનું પ્રતિનિધિત્વ કરનાર આ સ્ટોન આંખના રોગો દૂર કરી ચમત્કારી પરિણામ આપે છે, આંખમાં એલર્જી, સૂકાપણું, આંખમાં ખંજવાળ, બળતરા વગેરે જેવી સમસ્યાઓમાંથી આ સ્ટોન મુક્તિ અપાવે છે. સફેદ, સામાન્ય લીલો, સામાન્ય વાદળી રંગમાં મળનારા આ સ્ટોનને આખી રાત પાણીમાં નાખી રાખી આંખને ધોવાથી તમામ ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે. આંખોનું સૂકાપણું દૂર થાય છે.
ટાઈગર જાસ્પેર
ઘણી વાર એવું બને છે કે, આંખની આસપાસ લોહીનું ભ્રમણ બરાબર થંતુ નથી, પરિણામે આંખમાં અનેક પ્રકારના રોગો થાય છે. ટાઈગર જૈસ્પર આ લોહીનુ ભ્રમણ વધારે છે. તેને પહેરવાથી આંખોનું તેજ વધે છે, આંખોની ચમક વધે છે. ઉપરાંત તેનાથી આંખમાં એવું આકર્ષણ ઊભું થાય છે, જેનાથી દરેક વ્યક્તિ તમારા પ્રત્યે આકર્ષાઈ જાય છે.
ઝેડ
પ્રાચીન સમયમાં ઝેડ આંખોના ગંભીર રોગોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતો. તેનાથી ઈમ્યુનિટિ સિસ્ટમ મજબૂત થાય છે, જે સારા વિઝન માટે અત્યંત મહત્વનું છે. આંખના મોસમી રોગો માટે આ સ્ટોન ઉપયોગી સાબિત થાય છે. કંજક્ટિવાઈટિસમાં તેની અસર ચમત્કારી જોવા મળી છે. તેના મોતીની માળા પણ પહેરી શકાય છે.
ફ્લૂરૉઈટ
આ સ્ટોનમાં ગ્લૂકોમા કે કાંચ બિંદૂને ઠીક કરવાની તાકાત હોય છે. વધારે પડતી ગરમીને કારણે આંખનો દુખાવો, બળતરા જેવી સમસ્યાઓ આ સ્ટોનથી દૂર થાય છે. ફ્લૂરૉઈટ આંખને મગજ સાથે જોડનારી નસોને મજબૂત કરે છે, જેનાથી વધુ ઉંમર થઈ હોય તો પણ આંખના તેજને વધારી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
