મૃત્યુના 123 દિવસ બાદ માતાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ!
સાઉથ બ્રાઝિલની સિલ્વા પોડિલ્હાને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરી હતી,જેના 123 દિવસ બાદ તેણે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો
આ ચમત્કારિક ઘટના બ્રાઝિલની છે, જ્યાં મગજથી મૃત જાહેર કરવામાં આવેલ એક મહિલાએ 123 દિવસ બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટનાથી તબીબો પણ આશ્ચર્યચકિત છે. ખરેખર તો, તબીબોને આશા જ નહોતી કે મૃત્યુના આટલા દિવસ બાદ બાળકો ગર્ભાશયમાં જીવીત રહી શક્યા હશે. તબીબોએ ઓપરેશન દ્વારા જ્યારે મહિલાની ડીલિવરી કરી ત્યારે જોડિયા બાળકો જન્મ્યા હતા.

બ્રેઇન સ્ટ્રોક બીમારીથી પીડિત હતી મહિલા
સાઉથ બ્રાઝિલમાં રહેતી મહિલા સિલ્વા પોડિલ્હાએ ગત વર્ષ ગર્ભ ધારણ કર્યું હતું. સિલ્વાને બ્રેઇન સ્ટ્રોકની બીમારી હતી. ઓક્ટોબર 2016માં સિલ્વાને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરી. તે સમયે તેના પેટમાં 9 અઠવાડિયાનો ગર્ભ હતો.

બ્રેઇન ડેડ, પરંતુ બાળકો જીવંત
સિલ્વાના પતિ મ્યૂરેલે તરત જ પોતાની પત્નીને સેનહોરા ડો રોકિયો હોસ્પિટલમાં દાખલ કરી. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે, સિલ્વાનું બ્રેઇન ડેડ થઇ ગયું છે, પરંતુ તેના ગર્ભમાં રહેલ બાળક હજુ પણ શ્વાસ લે છે. આથી તબીબોની ટીમે સિલ્વાને તુરંત વેન્ટિલેટર પર મુકી.

123 બાદ થયો જોડિયા બાળકોનો જન્મ
લગભગ 123 દિવસ સિલ્વાને એ જ સ્થિતિમાં રાખવામાં આવી. 9 મહિના પૂરા થતાં તબીબોએ ઓપરેશન કરી સિલ્વાની ડીલિવરી કરી. આમ, મૃત સિલ્વાએ પોતાના જોડિયા બાળકોને જન્મ આપ્યો. આ જોડિયા બાળકોમાં એક છોકરી અને એક છોકરો છે.

ચમત્કારિક ઘટના
સિલ્વાના પતિને પણ વિશ્વાસ નહોતો કે, બ્રેઇન ડેડ થયા બાદ તેના બાળકો જીવીત બચશે. જો કે, મેડિકલ ક્ષેત્રે થયેલ અદ્યતન વિકાસને પરિણામે ઘણીવાર ચમત્કાર સર્જાયા છે. આ પણ એવી જ એક ચમત્કારિક ઘટના હતી.
-
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો









Click it and Unblock the Notifications
