32 વર્ષ પછી લગ્ન કર્યા તો વધી જાય છે ખતરો...!
[સર્વે] લગ્ન કરવા માટે ઓછામાં ઓછી ઉંમર તો નિર્ધારિત કરવામાં આવી છે પરંતુ લગ્ન કરવા માટે વધારેમાં વધારે ઉંમરને લઇને કોઇ સમયસીમાને બાંધવામાં આવી નથી. લગ્ન બાદ સાચી ઉંમર 25 વર્ષ બાદ માનવામાં આવે છે જ્યાં કપલ માનસિક રીતે મેચ્યોર હોય છે.
પરંતુ આપને તે તાજા સર્વે અંગે જણાવીએ જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો લગ્ન 32 પછી કરવામાં આવે તો આપના લગ્ન પર ખતરો મંડરાવા લાગે છે. છૂટાછેડાના સંબંધમાં વ્યાપ્ત ધારણાઓમાં મોટુ પરિવર્તન કરતા એક શોધમાં જાણવા મળ્યું છે કે લોગો 32 વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે, તેમના લગ્ન સંબંધ વિચ્છેદનો ખતરો વર્તાવા લાગે છે.
આવો જાણીએ શા માટે 32 વર્ષની ઉંમર બાદ થયેલા લગ્ન તૂટી શકે છે...
લગ્ન પર ખતરો
સર્વે અનુસાર 32 વર્ષની ઉંમર પછી લગ્ન કરનારાઓ પર 20 વર્ષની ઉંમર પછી લગ્ન કરવાનારની તુલનાએ છૂટા છેડા થવાની સંભાવના વધી જાય છે.
છૂટાછેટાની સંભાવના
સર્વેમાં માલૂમ પડ્યું છે કે 32 વર્ષની ઉંમર પછી છૂટાછેડાની સંભાવના દર વર્ષે પાંચ ટકા વધી જાય છે.
છૂટાછેડાનું જોખમ વધી જાય
અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઉટાહ દ્વારા કરાવવામાં આવેલ આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 32ની ઉંમર પછી લગ્ન કરનારાઓમાં છૂટાછેડાનું જોખમ વધી જાય છે.
લગ્ન પર ખતરો
સર્વે યુનિવર્સિટીના નિકોલસ વોલફિંગર દ્વારા કરવામાં આવ્યો છે. જે કહે છે કે આ એક મોટુ પરિવર્તન છે. શોધ માટે વોલફિંગરે 2006થી 2010ની વચ્ચે અમેરિકન નેશનલ સર્વે ઓફ ફેમિલી ગ્રોથના આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે.
પહેલા લગ્ન કરવા સારા
અમેરિકાના ઇન્સ્ટીટ્યૂટ ફોર ફેમિલી સ્ટડીઝ માટે લખવામાં આવેલ એક બ્લોગમાં કહેવામાં આવ્યું છે 32 વર્ષ પહેલાની ઉંમરમાં લગ્ન કરવાથી દરેક વર્ષે લગ્ન તૂટવાના ખતરમાં 11 ટકાની કમી આવે છે.