Brahmastra : જાણો બ્રાહ્મસ્ત્ર ફિલ્મમાં દર્શાવેલા 5 શસ્ત્રો અને તેની શક્તિ વિશે
ભારતની પૌરાણિક કથા પર આધારિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નો જાદુ ચાહકો પર છવાઈ રહ્યો છે. ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા છે. હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આ ફિલ્મ કમાણી પણ સારી કરી રહી છે.
Brahmastra : ભારતની પૌરાણિક કથા પર આધારિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નો જાદુ ચાહકો પર છવાઈ રહ્યો છે. ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા છે. હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આ ફિલ્મ કમાણી પણ સારી કરી રહી છે. ધમાકેદાર VFX અને બ્રિલિયન્ટ કોન્સેપ્ટ પર બનેલી 'બ્રહ્માસ્ત્ર' હોલીવુડની સુપરહીરો ફેન્ટસી ફિલ્મથી ઓછી નથી.
આ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ચલાવતા યોદ્ધાઓને દેવતાઓ દ્વારા સોંપવામાં આવેલા શસ્ત્રોની વાર્તા દર્શાવે છે. 'બ્રહ્માસ્ત્ર'ના પહેલા ભાગમાં પાંચ શસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો દરેક શાસ્ત્ર અને તેની શક્તિ વિશે જાણીએ.
પહેલા જાણો બ્રહ્માણશ શું છે?
'બ્રહ્માસ્ત્ર' એવી વસ્તુ છે, જે જો કોઈના હાથમાં આવી જાય તો તે આ બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી વ્યક્તિ બની જાય છે અને તે એક જ ઝાટકેઆખી પૃથ્વીનો નાશ કરવાની હિંમત કરી શકે છે. આવા સમયે, બ્રહ્માણશ એટલે બ્રહ્માસ્ત્રના ભાગો જેનું કર્તવ્ય બ્રહ્માસ્ત્રનું રક્ષણ કરવાનું છે.
9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' આ સ્ટોરી પર બની છે. ફિલ્મમાં સારા લોકોને 'બ્રહ્માણશ' કહેવામાં આવે છે અને બીજી તરફકેટલાક લોકો એવા છે, જેઓ બ્રહ્માસ્ત્ર મેળવવા માગે છે અને રાક્ષસને જીવિત કરવા માગે છે.
વાનર અસ્ત્ર શું છે?
શાહરૂખ ખાને 'બ્રહ્માસ્ત્ર'માં વાનર અસ્ત્રની ભૂમિકા ભજવી હતી, પરંતુ પૌરાણિક કથાઓમાં વાનર અસ્ત્ર જેવી કોઈ વસ્તુનો ઉલ્લેખ નથી. આહોવા છતાં, આ ફિલ્મમાં વાનર અસ્ત્રને શક્તિશાળી રીતે બતાવવામાં આવ્યું નથી, પરંતુ તે ભગવાન હનુમાનની શક્તિઓથી પણ પ્રભાવિતછે.
જાણો નંદી અસ્ત્ર વિશે
ફિલ્મમાં આ હથિયારનું પાત્ર સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને ભજવ્યું છે. બધાને અભિનેતાનું કામ ગમ્યું છે, પરંતુ વાસ્તવિક જીવનની વાતકરીએ તો પૌરાણિક કથાઓમાં પણ આ હથિયારનો ઉલ્લેખ નથી. જોકે, ફિલ્મમાં નંદી અસ્ત્રનો સંબંધ સીધો ભગવાન શિવની સવારી નંદીસાથે બતાવવામાં આવ્યો છે. નંદી બનેલા નાગાર્જુનની અંદર 1000 નદીઓની શક્તિઓ બતાવવામાં આવી છે.
પ્રભાસ્ત્ર શું છે?
પ્રભા એટલે પ્રકાશ, પરંતુ અન્ય બે શસ્ત્રોની જેમ 'પ્રભાસ્ત્ર'નો પણ પુરાણોમાં ઉલ્લેખ નથી. ફિલ્મમાં આ શસ્ત્ર દેવતા ઈન્દ્રના વજ્રસ્ત્રથી પ્રભાવિતહોવાનું કહેવાય છે અને આ પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું છે. અભિનેતામાં એટલી બધી શક્તિઓ છે, જે કોઈને પણ મારી શકે છે.
અગ્નિસ્ત્ર શું છે?
અલબત્ત, ઉપરોક્ત ત્રણેય શસ્ત્રોનો ઉલ્લેખ પુરાણોમાં નથી, પરંતુ 'અગ્નિસ્ત્ર'નું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, અગ્નિ અસ્ત્રનોઉપયોગ મહાભારત અને રામાયણમાં થયો હતો. એવું કહેવાય છે કે, અગ્નિ અસ્ત્ર એક તીર છે, જે અગ્નિના દેવને અગ્નિ વરસાવવા માટેબોલાવવામાં આવે છે. ફિલ્મમાં રણબીર કપૂર પોતે અગ્નિ અસ્ત્રના રોલમાં જોવા મળી રહ્યો છે.
'બ્રહ્માસ્ત્ર' શું છે?
બ્રહ્માસ્ત્ર એટલે બ્રહ્મા ભગવાનનું શસ્ત્ર. બ્રહ્માસ્ત્રનો પુરાણોમાં ઉલ્લેખ છે અને તેને રાક્ષસોનો નાશ કરવા માટે રચાયેલ શક્તિ તરીકે વર્ણવવામાંઆવ્યો છે.
બ્રહ્માસ્ત્રની અંદર બ્રહ્માંડની તમામ શક્તિઓ વસે છે. પુરાણોમાં તેને સૌથી ભયંકર શસ્ત્ર પણ કહેવામાં આવ્યું છે. જો બ્રહ્માસ્ત્રોએકબીજા સાથે અથડાય છે, તો પૃથ્વીનો અંત થઇ જશે એવો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.