યે હૈ મોહબ્બતે: મોતના મુખમાં રમન, શું બચાવી શકશે ઈશીતા?
(ટેલીવિઝન) રમન અને ઈશીતાની લવસ્ટોરી માંડ માંડ શરૂ થઈ હતી, અને હવે આ લવસ્ટોરીમાં એક નવો વળાંક આવ્યો છે. જી હા, લવસ્ટોરી શરૂ થતા જ પૂરી થવાના અણસાર દેખાઈ રહ્યાં છે. યે હૈ મોહબ્બતેમાં રમન અને ઈશીતાએ પોતાની લવસ્ટોરીને આગળ વધારવા માટે બનતા બધાં જ પ્રયત્નો કર્યા. જો કે આટઆટલા સીન બાદ પણ દર્શકોને કોઈ રોમાન્સ જોવા મળ્યો નથી. પરંતુ હવે આ ટેલી સ્ટોરીમાં ત્યારે ટ્વીસ્ટ આવ્યો છે કે જ્યારે ગુંડાઓએ રમનને માર માર્યો.
રમન,અશોક પાસે કબુલાત કરાવે છે કે આખરે તેણે ઈશીતા સાથે શું કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ અશોક જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ કરી રહ્યો છે, પણ તેમ છતા અશોકના કેટલાક ગુંડાઓએ રમન પર હુમલો કર્યો છે.
હવે રમન હોસ્પિટલ સુધી પહોંચી ગયો છે. આ સમયે રોમી અને પરિવારના અન્ય સભ્યો પણ ઈશીતાનો સાથ આપવા માટે પહોંચી ગયા છે. વેલ હાલમાં તો રમનની હાલત ગંભીર છે. હવે જોવાનું એ રહેશે કે આ હોસ્પિટલ ટ્રેક સીરિયલને કેટલી આગળ ખેંચશે.