કોરિયામાં જંગ છેડાઇ તો ભારતને થઇ શકે છે ફાયદો
(નવીન નિગમ) આજે આખું વિશ્વ કોરિયાઇ સંકટથી વિચલિત દેખાઇ રહ્યું છે. ઉત્તર કરિયાએ તાનાશાહ કિમ ઇલ સુંગએ પોતાના દેશમા પોતાની સાખ વધારવા માટે ભલે અમેરિકા સાથે પંગો લઇ લીધો છે, પરંતુ ઉત્તર કોરિયાના તાનાશાહ જો એવું વિચારી રહ્યા હોય કે વિશ્વ બિરાદરીને ડરાવીને તે પોતાની કેટલીક સગવડોને હાંસલ કરી લેશે તો આ તેની ભૂલ છે, કારણ કે અમેરિકા ઉત્તર કોરિયા વિરુદ્ધ મળેલા આ અવસરને પોતાના હાથે જવા દેશે નહીં.
ઉત્તર કોરિયાના તાનાશાહ એવું વિચારી રહ્યા છે કે તે તણાવના અંતિમ બિન્દુ સુધી જઇને પરત આવી જશે તો એ તેમની ભૂલ છે કારણ કે આ ભૂલ સદ્દામ હુસૈનને પણ કરી હતી તે પણ એવું સમજીને અમેરિકા સાથે ટકરાયા હતા કે જ્યાં સુધી તે હુમલો નહીં કરે ત્યાં સુધી અમેરિકા જંગ શરૂ નહીં કરે, પરંતુ અમેરિકાએ મિસાઇલ દાગીને પોતાના તરફથી જ્યારે જંગની જાહેરાત કરી ત્યારે સદ્દામને લાગી રહ્યું હતું કે વિશ્વ બિરાદરી વચમાં પડીને ઝઘડાનું હલ લાવવા પહેલ શરૂ કરી દેશે.
કોરિયા દ્વિપમાં જંગ ત્યાંના વ્યાપારને સાફ કરી નાંખશે. ચીનની ઉત્તર કોરિયાથી નારાજગી એ વાતને લઇને છે, ચીન આ વિસ્તારમાં જંગ નહીં થવા દેવા માગતુ કારણ કે, જંગ થતા ચીન અને દક્ષિણ કોરિયામાં થયેલા વિદેશી રોકાણ ભારત જેવા દેશો તરફનો રસ્તો પકડશે, કારણ કે, હિન્દ મહાસાગર એક શાંત વિસ્તાર છે અને ખાડી દેશ આ વિસ્તારથી નજીક પણ પડે છે. તેતી જો કોરિયામાં જંગ થઇ તો ભારતમાં વિદેશી રોકાણ ઝડપી થશે અને ચીનનું તમામ ધ્યાન કોરિયા દ્વિપ તરફ લાગી જશે. જંગ બાદ ઉત્તર કોરિયામાં અમેરિકાની ઉપસ્થિતિ તેને વધું ચિંતિત કરશે.