કેટલાંક પક્ષો મુસ્લિમોને 'ટૉયલેટ પેપર' સમજે છે!
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર : મુઝફ્ફરનગરમાં રમખાણો બાદ રાજકારણનું વાતાવરણ ગરમાઇ ગયું છે. હુલ્લડોના લગભગ બે અઠવાડિયા બાદ મુઝફ્ફરનગર હવે રાજકીય દૌરનો સાક્ષી બની રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે મુઝફ્ફરનગરની મુલાકાત માટે આવી પહોંચ્યા છે. આ પહલા રવિવારે 15 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અત્રે આવી પહોંચ્યા હતા.
રમખાણો પર ચાલી રહેલા રાજકારણને લઇને રાજનૈતિક દળો પર મુસ્લિમ સંગઠનોની આંખો દોઢી થઇ ગઇ છે. જમીયત ઉલેમા એ હિંદના વરિષ્ઠ નેતા અને મુસ્લીમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના મહમૂદ મદનીએ આ મુલાકાતને રાજકીય ફેરો ગણાવ્યો. મદનીએ જણાવ્યું કે કેટલાક રાજકીય પક્ષો દ્વારા મુસ્લિમોને ટૉયલેટ પેપરની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મદનીએ જણાવ્યું કે લોકોની જિંદગીઓ પર રાજકારણ કરવું યોગ્ય નથી. આ રમખાણ ન્હોતું, એક ખાસ સમુદાય સામે કરવામાં આવેલી કાર્યવાહી હતી. પોલીસ અને પ્રશાસન બંને મળેલા છે. આ સમાજવાદી પાર્ટીની જવાબદારી છે. કેટલાક રાજનૈતિક દળો દ્વારા મુસ્લિમોને ટૉયલેટ પેપરની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે.