ઇંગ્લેન્ડે સારી બોલિંગ કરી છતાં અમે મેચમાં છીએઃ અશ્વિન
માન્ચેસ્ટર, 8 ઑગસ્ટઃ ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને આશા વ્યક્ત કરી છેકે શુક્રવારે બીજા દિવસે તેમના અનેક બોલર્સ ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત બનાવતા અટકાવશે. આ સાથે જ અશ્વિને ભારતની પહેલી ઇનિંગ દરમિયાન પોતાની આઉટ થવાની રીત અંગે પણ નિરાશા વ્યક્ત કરી છે.
ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 152 રન જ બનાવી શક્યું હતું. જેના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસે રમત આગળ વધારતા 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ પીચ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન કે શું આ એવી વિકેટ હતી કે જ્યાં ટીમ 150 રન પર આઉટ થઇ શકે છે, તો અશ્વિને કહ્યું કે, આ પીચ પર કોઇ સંખ્યા નક્કી કરી શકાય નહીં.
તેમણે કહ્યું કે, આ પીચ પર બોલર્સ માટે કંઇક હતું અને ઇંગ્લેન્ડના બોલર્સે ઘણી સારી બોલિંગ કરી. કદાચ અમે વધુ રન બનાવી શક્યા હોત. આપણે હંમેશા વધુ રન ઇચ્છતા હોઇએ છીએ પરંતુ અમે અંતમાં કેટલીક વિકેટ હાંસલ કરીને સારું કર્યું અને અમે હજું પણ મેચમાં બનેલા છીએ. પહેલા દિવસે ભારતે ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ પાડી દીધી હતી.
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોનીએ પહેલા દિવસે કર્યો રેકોર્ડનો વરસાદ
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4, ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ

ભારતે આઠ રનમાં ગુમાવી ચાર વિકેટ
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને સ્ટુઅર્ટ બ્રોડ(25 રનમાં છ વિકેટ) અ જેમ્સ એન્ડરસન(46 રનમાં ત્રણ વિકેટ)ની ધારદાર બોલિંગની સામે ભારતે પહેલી છ ઓવરમાં જ આઠ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ધોનીના પહેલી બેટિંગ કરવાના નિર્ણય અંગે અશ્વિનનું મંતવ્ય
વાદળછાયું વાતાવરણ હોવા છતાં ધોનીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે અંગે અશ્વિને જણાવ્યું કે, દરેક મેચોમાં વિકેટ મહદઅંશે ઘણી સમાન હતી, પરંતુ સ્થિતિ અલગ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે પ્રબંધનનો હતો. અંતમાં તેમણે ઘણી સારી બોલિંગ કરી અને સ્થિતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો.

ચોથી મેચમાં અશ્વિનનું પ્રદર્શન
પાંચ મેચોની શ્રેણીમાં પહેલી ત્રણ મેચમાં અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ચોથી મેચમાં અશ્વિનને અંતિમ ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. અશ્વિને 40 રનની ઇનિંગ રમવા ઉપરાંત સાતમી વિકેટ માટે ધોની સાથે 66 રનની ભાગીદારી નોંધાવી ભારતને ખરાબ રીતે શરમજનક અવસ્થામાં મુકાતા બચાવ્યું હતું.

પોતાની બેટિંગ અંગે શું કહ્યું અશ્વિને
અશ્વિને કહ્યું કે હું માત્ર વિકેટ પર ટકીને બેટિંગ કરવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ જે પ્રકારને હું આઉટ થયો તેનાથી હું નિરાશ છું. હું પોતાની જાતને દોષી ઠેરવી શકુ છું. જો અમે થોડાક વધુ રન બનાવી શકત તો તેમના પર વધારે દબાણ મુકી શક્યા હોત.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
