છેલ્લા 30 વર્ષથી શૌચાલયનું પાણી પીતા હતા ડોક્ટર અને દર્દીઓ
જાપાની લોકો તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે. તેને શિસ્તમાં રહેવું ગમે છે અને તે પોતાના ખાવા-પીવાનું પણ ખાસ ધ્યાન રાખે છે, પરંતુ તાજેતરમાં જ જાપાનમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે દુનિયાને ચોંકાવી દીધી છે.
જાપાની લોકો તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે. તેને શિસ્તમાં રહેવું ગમે છે અને તે પોતાના ખાવા-પીવાનું પણ ખાસ ધ્યાન રાખે છે, પરંતુ તાજેતરમાં જ જાપાનમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. છેલ્લા 30 વર્ષથી અહીંની હોસ્પિટલમાં પીવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે શૌચાલયનું હતું. હા, આ જાણીને કોઈનું પણ મન બગાડી શકે છે, પરંતુ હોસ્પિટલના લોકોને તે વાતની જાણ થઇ ગઇ છે.
30 વર્ષથી પી રહ્યા હતા શૌચાલયનું પાણી
મીડિયા અહેવાલો અનુસાર હોસ્પિટલના સ્ટાફ અને દાખલ દર્દીઓને તાજેતરમાં જ સમજાયું કે, તેઓ લગભગ 30 વર્ષથી ટોયલેટના પાણીનો પીવાના પાણી તરીકે'આકસ્મિક' ઉપયોગ કરી રહ્યા છે.
આટલા વર્ષોમાં કોઈને આ વિશે ખબર પડી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓસાકા યુનિવર્સિટી હોસ્પિટલે 20 ઓક્ટોબરના રોજજણાવ્યું હતું કે, પાઇપલાઇન ખોટી રીતે નાખવામાં આવી હતી.
ખોટું હતું પાઇપનું કનેક્શન
હોસ્પિટલના પ્રાંગણમાં કેટલીક જગ્યાએ ખોટી રીતે પીવાના પાઈપનું કનેક્શન લગાવવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે, પીવાનાપાણીની પાઈપ શૌચાલય સાથે જોડાયેલી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાણીની પાઈપની ખોટી ફિટિંગ લગભગ 30 વર્ષ જૂની છે, તે 1993ની છે જ્યારેહોસ્પિટલ ખોલવામાં આવી હતી. આ પાઈપમાંથી હોસ્પિટલની 120 જેટલી નળમાં પાણી આવતું હતું.
દર્દીઓ અને સ્ટાફ પીવે છે આ પાણી
રિપોર્ટમાં એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે, હોસ્પિટલના કર્મચારીઓ અને દર્દીઓ વર્ષોથી અસુરક્ષિત પાણીના સ્ત્રોતને જાણ્યા વિના પીવા, ન્હાવા અને કોગળા કરવામાટે આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
હોસ્પિટલમાં નવી બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવાયો ત્યાં સુધી કોઈએ ધ્યાન આપ્યું ન હતું. હોસ્પિટલની નવી સારવાર અનેનિદાન બિલ્ડીંગની તપાસ દરમિયાન ખોટા પાણી કનેક્શન શોધાયું અને આ ખામી સામે આવી હતી.
દર અઠવાડિયે કરવામાં આવતી હતી પાણીની તપાસ
રસપ્રદ વાત એ છે કે, ઘણા અહેવાલો દાવો કરે છે કે હોસ્પિટલ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત પાણીનો રંગ, ગંધ અને સ્વાદની તપાસ કરવામાં આવે છે.
હાલના રેકોર્ડ મુજબ વર્ષ 2014થી પાણીની કોઈ સમસ્યા નથી. યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે, તપાસ દરમિયાન પાણીથી સ્વાસ્થ્ય માટે કોઈ ખતરો જોવા મળ્યો નથી કેતેની જાણ થઈ નથી.
હોસ્પિટલના ડિરેક્ટરે માંગી માફી
આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને હજારો લોકો પાણીને લઈને ચિંતિત બન્યા હતા. હોસ્પિટલના ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ કાઝુહિકોનાકાતાનીએ ભૂતપૂર્વ દર્દીઓ અને સ્ટાફની માફી માંગી છે.
છેલ્લા 30 વર્ષમાં હજારો લોકોએ હોસ્પિટલનું તે પાણી પીધું છે. કાઝુહિકોએ કહ્યું, મને ખૂબ જ દુ:ખ છે કેઅદ્યતન તબીબી સંભાળ પૂરી પાડતી યુનિવર્સિટી હોસ્પિટલે ચિંતા વધારી છે.
કરવામાં આવશે નિયમિત તપાસ
નિયામકશ્રીએ ખાતરી આપી હતી કે, યુનિવર્સિટીની તમામ 105 બિલ્ડીંગમાં સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવામાં આવશે. હોસ્પિટલ નિયમિતપણે પાણીની પાઇપ કનેક્શનનીતપાસ કરશે.
આ સમાચારે સમગ્ર જાપાનમાં હલચલ મચાવી દીધી છે. હોસ્પિટલમાં કામ કરતા લોકોની સ્થિતિનો અંદાજ લગાવી શકાય તેમ નથી. જો કે તપાસમાંપાણીની ગુણવત્તા કેમ ન મળી તે એક મોટો સવાલ છે.