ડ્રગ્ઝ કેસમાં પૂછપરછ માટે NCB ઑફિસ પહોંચ્યા અર્જૂન રામપાલ, ઘરે પણ થઈ ચૂકી છે રેડ
ડ્રગ્ઝ કેસમાં ફિલ્મ અભિનેતા અર્જૂન રામપાલની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ પૂછપરછ કરી છે.
નવી દિલ્લીઃ ડ્રગ્ઝ કેસમાં ફિલ્મ અભિનેતા અર્જૂન રામપાલની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ પૂછપરછ કરી છે. શુક્રવારે સવારે લગભગ 11 વાગે અર્જૂન રામપાલ એનસીબીની મુંબઈ સ્થિત ઑફિસ પહોંચ્યા. એનસીબીની ટીમે 9 નવેમ્બરે અર્જૂનના ઘરે રેડ પાડી હતી. ડ્રગ્ઝ કેસમાં અર્જૂનની પાર્ટનર ગેબ્રિએલા ડિમિટ્રિયાડેસની એનસીબી પૂછપરછ કરી ચૂકી છે. વળી, અર્જૂન રામપાલના દોસ્ત બતાવાયેલ પૉલ બરટેલની આ કેસમાં એનસીબી ધરપકડ કરી ચૂકી છે.

ડ્રગ્ઝ કેસમાં અર્જૂન અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા બંને એનસીબીની તપાસના ઘેરામાં છે. એનસીબીએ અર્જૂન રામપાલના ઘરે રેડ પાડ્યા બાદ તેની અને ગેબ્રિએલાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમના ઘરેથી લેપટૉપ, મોબાઈલ ફોન અને ટેબલેટ સહિત અમુક ગેઝેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્ઝ ડિલરો અને બોલિવુડ હસ્તીઓ વચ્ચે કથિત સંબંધો વિશે એનસીબીએ તપાસ શરૂ કરી હતી. એનસીબીએ આ અંગે અત્યાર સુધી 20થી વધુ લોકોની ધરપકડ કરી ચૂકી છે.
આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી હતી. રિયા હાલમાં જામીન પર બહાર છે. રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી હજુ પણ આ કેસમાં જેલમાં છે. ફિરોઝ નડિયાદવાલાની પત્ની પણ આ કેસમાં પકડાઈ ચૂકી છે. એનસીબીએ આ કેસમાં ગયા મહિને અભિનેત્રી દીપિકા પાદુકણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ સહિત ઘણા મોટા નામોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તમને જણાવી દઈએ કે સુશાંતના કથિત રીતે આત્મહત્યા કરી લીધા બાદ તેમના ડ઼્રગ્ઝના બંધાણી હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ એનસીબીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી. સુશાંતના મોત કેસમાં સીબીઆઈ અને ઈડીએ પણ તપાસ કરી છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત












Click it and Unblock the Notifications
