ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ તાંડવ મચાવ્યો, 1 રાતમાં 4 મૌત
સ્વાસ્થ્ય વિભાગ ઘ્વારા કરવામાં આવેલા પ્રયાસો છતાં પણ સ્વાઈન ફ્લૂ મામલાઓ અટકી નથી રહ્યા.
સ્વાસ્થ્ય વિભાગ ઘ્વારા કરવામાં આવેલા પ્રયાસો છતાં પણ સ્વાઈન ફ્લૂ મામલાઓ અટકી નથી રહ્યા. લોકોમાં ફલૂ સતત પોઝિટિવ મળી રહ્યો છે જેને કારણે મૌત પણ થઇ રહી છે. ગઈ કાલે રાત્રે 9 વાગ્યાથી સવારે 10 વાગ્યે ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, ગોંડલ અને રાજકોટમાં ચાર મૌત થયાની ખબર આવી રહી છે. આ વર્ષે અત્યારના 24 દિવસમાં સ્વાઈન ફ્લૂએ 15 લોકોનો જીવ લીધો છે. તેને કારણે આખા વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે.

સતત લોકોની મૌત થઇ રહી છે
સ્વાઈન ફલૂ પીડિત 55 વર્ષની એક મહિલાએ રાત્રે 9.30 વાગ્યે રાજકોટના સરકારી દવાખાનામાં દમ તોડ્યો, જે ગોંડલના મોટા દડવા ગામની રહેવાસી છે. ત્યારપછી રાત્રે 1 વાગ્યે રાજકોટના 70 વર્ષના પુરુષ ગિરિરાજની પણ હોસ્પિટલમાં મૌત થઇ. રાત્રે 2 વાગ્યે જૂનાગઢના 50 વર્ષના પુરુષની સ્વાઈન ફ્લૂથી મૌત થઇ. સવારે લગભગ 9.30 વાગ્યે શહેરના વોક હાર્ટ હોસ્પિટલમાં ભાવનગર જિલ્લાના 57 વર્ષના પુરુષની પણ હોસ્પિટલમાં મૌત થઇ.

છેલ્લા 24 દિવસમાં 75 લોકો પોઝિટિવ
વર્ષ 2019 ના ફક્ત 24 દિવસમાં 75 લોકોનો રિપોર્ટ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. 15 લોકોની મૌત થઇ ચુકી છે. તેવી સ્થિતિમાં સરકારી હોસ્પિટલના અધિકારીઓએ પ્રાઇવેટ હોસ્પિટલો પર આંગળી ચીંધી છે. આ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલ દર્દી પાસેથી રૂપિયા તોડવા છેલ્લે સુધી તેનો ઉપચાર કરે છે. પરંતુ ફાયદો નહીં થવા પર દર્દીને અમારી પાસે મોકલી આપે છે. તેને કારણે સરકારી હોસ્પિટલોમાં મૌતનો આંકડો વધારે દેખાય છે.












Click it and Unblock the Notifications
