Gujarat Election: હાર્દિક પટેલે વીરમગામની એ સીટ જીતવી પડશે જ્યાં ભાજપ 10 વર્ષથી હારી રહી છે
ભાજપે વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેર કરેલી 160 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદીમાં હાર્દિક પટેલને વીરમગામથી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક છેલ્લા 10 વર્ષોથી ભાજપ હારી રહી છે.
Gujarat Election: ભાજપે વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેર કરેલી 160 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદીમાં હાર્દિક પટેલને વીરમગામથી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક છેલ્લા 10 વર્ષોથી ભાજપ હારી રહી છે. આ બેઠક જીતી બતાવવાની મોટી જવાબદારી હાર્દિક પટેલનો સોંપવામાં આવી છે. નોંધનીય છે કે પાટીદાર આંદોલનમાંથી ઉભરેલા યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા એ વખતે તેમણે પોતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નાનો સૈનિક ગણાવ્યો હતો.

ભાજપે આ નાના સૈનિકને 10 વર્ષથી જે બેઠક પર હારનો સામનો કરી રહેલ વીરમગામ જેવી મહત્વની સીટ જીતવાની જવાબદારી આપી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી ભાજપે ડૉ. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમને કોંગ્રેસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ લાખાભાઈ ભીખાભાઈ સામે છ હજાર મતોથી હારી ગયા હતા. આ પહેલા વર્ષ 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રાગજીભાઈ નારણભાઈ પટેલને ટિકિટ આપી હતી પરંતુ તે પણ હારી ગયા હતા.
તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 182 વિધાનસભા બેઠકોમાંથી 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 69 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે અને 14 મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યુ છે. આજે 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકોની ચૂંટણી માટે 84 ઉમેદવારો અને 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકોની ચૂંટણી માટે 76 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. આ યાદીમાં 69 સીટિંગ એમએલએનો સમાવેશ થાય છે. વળી, 14 મહિલાઓ, 13 અનુસૂચિત જાતિ અને 24 અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
