સરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી
ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના મુખ્ય સચિવોને કેન્દ્ર સરકાર દ્વારા પત્ર લખી ચેતવણી આપવામાં આવી છે.
દેશમાં ગુજરાત સહિત છ રાજ્યો દુકાળની પકડમાં છે. આ રાજ્યોમાં, ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટ વધી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના મુખ્ય સચિવોને કેન્દ્ર સરકાર દ્વારા પત્ર લખી ચેતવણી આપવામાં આવી છે. તે પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાણીનો ઉપયોગ સમજદારી પૂર્વક કરો.' આ વખતે ગુજરાતમાં તો પાણીની કટોકટી એપ્રિલથી શરૂ થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, રાજ્યના ડઝન જેટલા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે.
આ પણ વાંચો: ગુજરાત: જળસંકટના કારણે ગામોમાં હાહાકાર, 15 દિવસમાં માત્ર એક વાર જ પાણી

6 રાજ્યમાં લોકો પાણીની તંગી ભોગવશે
સચિવાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પત્રમાં ગુજરાતના મુખ્ય સચિવને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પાણીનું વ્યવસ્થાપન હોવું જોઈએ જેથી પીવાના પાણી અને ખેતરના પાણીમાં કોઈ સમસ્યા ન આવે. કેન્દ્રીય સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુને આ ચેતવણી ડેમમાં ઘટતા પાણીના સ્તરને જોઈને આપી છે. સેન્ટ્રલ વૉટર કમિશન (સીડબલ્યુસી) ના સભ્યે આ વિશેની માહિતી આપી હતી.

આ બે રાજ્યોના જળાશયોના પાણીના સ્તરમાં ભારે ઘટાડો થયો છે
જણાવી દઈએ કે રાજ્યોમાં દુષ્કાળગ્રસ્ત ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે છેલ્લા દસ વર્ષોની તુલનામાં જળાશયોમાં પાણીનું સ્તર 20% ઓછું હોય. તે કેન્દ્રના પત્રમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી બીજો બંધ બાંધવામાં ન આવે ત્યાં સુધી પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે કરવામાં આવવો જોઈએ. સેન્ટ્રલ વૉટર કમિશન દેશના 91 મુખ્ય જળાશયોના ભંડારનું નિરીક્ષણ કરે છે. કમિશનની રિપોર્ટ મુજબ, જળાશય હાલમાં 35.99 બિલિયન ક્યુબિક મીટર છે, જે જળાશયની ક્ષમતાના 22 ટકા છે. ગુજરાત અને મહારાષ્ટ્રનો પશ્ચિમી પ્રદેશ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.

ગુજરાતમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આ વખતે પણ વરસાદની શક્યતા ઓછી
પાણી પુરવઠા વિભાગના એક અધિકારીએ કહ્યું છે કે ગુજરાતમાં જળાશયોની સ્થિતિ સારી નથી. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ચેતવણી આપી છે. ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવાથી ગુજરાત પહેલેથી દુષ્કાળગ્રસ્ત છે. રાજ્યમાં કચ્છના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
