અમદાવાદમાં પ્રવીણ તોગડીયાનું શક્તિ પ્રદર્શન, બેઠા ઉપવાસ પર
અમદાવાદમાં પ્રવિણ તોગડિયા અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતર્યા છે. ગૌહત્યા અને રામ મંદિર બનાવવાની માંગણી સાથે પ્રવીણ તોગડિયા આ ઉપવાસ પર ઉતર્યા છે. જાણો વધુ અહીં.
અમદાવાદમાં પ્રવિણ તોગડિયાએ આજે મોટી સંખ્યામાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે ગુરુગ્રામમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાના ગ્રુપની વ્યક્તિની હાર થતા પ્રવિણ તોગડિયા વિહિપથી છૂટા થયા હતા. તે પછી રામમંદિર અને ગૌહત્યાના પ્રશ્નોને લઇને પ્રવીણ તોગડીયા અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતર્યા છે. અમદાવાદના વણિકર ભવનમાં આ કાર્યક્રમ યોદવામાં આવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં સાધુ સંતો સમેત પ્રવીણ તોગડિયાના સમર્થકો પણ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ માટે તેમને પોલીસ મંજૂરી નથી મળી. તેમ છતાં કંઇ અનિચ્છનીય ના બને તે માટે પોલીસે ચાંપતો બંદોવસ્ત કર્યો છે.

ઉપવાસ પર જતા પહેલા હાજર મીડિયા સાથે વાતચીત કરતી વખતે પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે રામ મંદિર મામલે ભાજપે લોકો જોડે વિશ્વાસઘાત કર્યો છે. અને માટે જ તે આ અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર બેઠા છે. ભાજપે સત્તા પર આવતા પહેલા રામ મંદિર બનાવવાની વાત કહી હતી. અને હવે તે વાતને જ પકડીને હાલ પ્રવીણ તોગડિયા ઉપવાસ પર ઉતર્યા છે. જો કે પ્રવીણ તોગડિયાની વીએચપીની ચૂંટણીમાં હાર થયા પછી આ ઉપવાસની રાજનીતિને એક રીતે તેમનું શક્તિ પ્રદર્શન મનાવામાં આવે છે.

-
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે











Click it and Unblock the Notifications
