રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ આહવા ડાંગ ખાતે યોજાશે
રાજ્યના અન્ય જિલ્લાઓના જિલ્લા મથકોએ રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ જિલ્લા કલેકટરો એ જ સમયે સવારે 9.00 કલાકે ધ્વજવંદન કરાવશે. કયા જિલ્લામાં કોણ ધ્વજવંદન કરાવશે તેની વિગતો આ પ્રમાણે છે.
નીતિન પટેલ -મહેસાણા, આનંદીબહેન પટેલ - અમદાવાદ, રમણભાઈ વોરા- સાબરકાંઠા (હિંમતનગર), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા - ગાંધીનગર, સૌરભભાઈ પટેલ - વડોદરા, ગણપતભાઈ વસાવા - સુરત, બાબુભાઇ બોખીરીયા - પોરબંદર, પરસોત્તમભાઈ સોલંકી - ભાવનગર, પરબતભાઈ પટેલ - બનાસકાંઠા (પાલનપુર), વસુબહેન ત્રિવેદી - જામનગર, પ્રદીપસિંહ જાડેજા - ભૂજ (કચ્છ), લીલાધરભાઈ વાઘેલા - નડીયાદ (ખેડા), રજનીકાન્તભાઈ પટેલ - પાટણ, ગોવિંદભાઈ પટેલ - રાજકોટ, નાનુભાઈ વાનાની - જૂનાગઢ , જયંતિભાઈ કાવડિયા - સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અમરેલી, દાહોદ, આણંદ, રાજપીપળા(નર્મદા), વ્યારા(તાપી), નવસારી, વલસાડ,ગોધરા(પંચમહાલ) અને ભરૂચ ખાતે જિલ્લા કલેકટરો ધ્વજવંદન કરાવશે.